વાંકાનેરના રાતીદેવળીમાં પાણીની પારાયણ, ગ્રામજનોએ કર્યો ચકકાજામ

  • February 08, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે આજે પુન: પીવાના પાણીની માંગ પારાયણ સર્જાઈ હતી. જેમાં ગ્રામજનો ફરી એકવાર રોડ પર ઉતરી આવી વાંકાનેર-જડેશ્ર્વર મુખ્ય માર્ગ બંધ કરી દેતાં ચકકાજામ થયો હતો. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જેમાં પોલીસની સમજાવટથી બે કલાકે ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા પીવાના પાણી પ્રશ્ર્ને બેડા સાથે રોડ પર ઉતરી આવી ચકકાજામ કર્યો હતો. જે બાદ પણ તેની સમસ્યા હલ ન થતાં આજે પુન: ગ્રામજનો ફરી આજ રસ્તે ચાલી ચકકાજામ કર્યો હતો. જેમાં પોલીસ ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈ સીપીઆઈ વી.પી.ગોલની સમજાવટ બાદ બે કલાકની મથામણના અંતે ચકકાજામ દુર કરાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application