સિહોરમાં વળી પાછો દીપડાનો આતંક વાડીમાં ઘૂસી કર્યું મારણ

  • March 19, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર શહેર અને પંથકમાં અગાઉ દીપડાના પરિવારે ધામા નાખી આતંક મચાવતા ખેડૂતો, માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી બાજુ વનવિભાગ દ્વારા પણ દીપડાના પરિવારને પકડવા માટે ભારે મહેનત ઉપાડી હતી. જોકે લાંબા સમય બાદ દીપડા પાંજરે પૂરતા લોકોએ રાહત અનુભવી હતી. દરમ્યાન ગત મોડી રાત્રીના ગોતમેશ્વર વિસ્તારમાં ફરીથી દીપડાએ એક વાડીમાં ઘૂસી પશુનું મારણ કરતા ખેડૂત અને માલધારીઓમાં ભય ફેલાયો છે.


સિહોરમાં અગાઉ આતંક મચાવ્યા બાદ વનવિભાગના પાંજરે પુરાયા બાદ દીપડાએ પુનઃ દેખા દીધા છે. જેના પગલે ખેડૂતો, માલધારીઓ તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અને ફરીથી આવી ચડેલો દીપડો વધુ આતંક ફેલાવે તે પૂર્વે વનવિભાગ દ્વારા સત્વરે પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગત રાત્રીના કોઈપણ સમયે ગોતમેશ્વર વિસ્તારમાં આવેલી જગદીશભાઈ નામના ખેડૂતની વાડીમાં ઘૂસેલા દીપડાએ બે પશુ પર હુમલો કરી એકનું મારણ કરતા સ્થાનિક વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂતો તેમજ માલધારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application