રાજકોટમાં બેંક કર્મચારી યુવાનનો આજીડેમમાં ઝંપલાવી આપઘાત

  • April 04, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરનાર ૨૫ વર્ષીય યુવાને આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન બે બહેનનો એકનો એક ભાઈ હતો.યુવક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. પોલીસને યુવાને લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હોવાનું માલુમ પડયું છે.
​​​​​​​
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હરસિધ્ધિ સોસાયટી શેરી નં. ૧ માં રહેતા ધવલભાઈ દિનેશભાઈ સવાણી(ઉ.વ ૨૫) નામના યુવાને આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.જેની જાણ થતા આજીડેમ પોલીસે બનાવસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવાાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.યુવાન ખાનગી બેંકમાં નોકરી કરે છે.મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હતો.
પોલીસને બનાવસ્થળેથી યુવાનની એક બેગ મળી આવી હતી.જેમાં યુવાને લખેલી સ્યસાઇડ નોટ મળી આવી હતી.જેમાં યુવાને આ પગલું ભરવા પાછળનું કારણ જણાવ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.પરિવારના આધારસ્તંભ સમાન યુવાને આ પગલું ભરી લેતા કડીયા પરિવારમાં કળો કલ્પાંત છવાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application