પોરબંદરમાં મિલ્કતમાંથી બેદખલ કરેલા પુત્રએ માતા-પિતાને માર મારી ૧૬ હજાર પિયાની લૂંટ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોરબંદરના વાડીપ્લોટ શેરી નં-૫માં રમેશ પાનની સામે રહેતા પંકજભાઇ નર્મદાશંકર દવે નામના વૃધ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમને સંતાનમાં એક દીકરો અંકિત કે જેની સાથે તેમને કશી લેવા દેવા નથી અને તેને ઘરમાંથી બહાર કાઢીને મિલ્કતમાંથી બેદખલ કરેલ છે કારણકે તેને દા પીવાની ટેવ છે અને ઘણીવખત ઘરે આવીને ધમાલ કરતો હતો. એટલું જ નહીં પરંતુ પંકજભાઇની ત્રણ દીકરીઓ સાસરે છે. તેઓ જ્યારે પીયરીયે આવે ત્યારે તેમની સાથે પણ ઝઘડો કરતો હતો તેથી તેને અલગ કરી દીધો હતો.
તા. ૧૬-૯ના ફરીયાદી પંકજભાઇ તથા તેમના પત્ની કલાબેન ઘરે હતા ત્યારે નવેક વાગ્યે તેમના દિકરા અંકિતે દરવાજો ખખડાવ્યો હતો અને ઘરમાં તેને આવવાની ના પાડતા તે ધક્કો મારીને ઘુસી ગયો હતો અને માતા-પિતાને ગાળો બોલવા લાગ્યો હતો અને પિતા પંકજભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો એટલુ જ નહીં પરંતુ માતા કલાબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ઝાપટ મારી હતી. તથા ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી ૧૬ હજાર પિયા કાઢી લીધા હતા ત્યારબાદ દોડીને જતો રહ્યો હતો.
આથી ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને માર મારી ૧૬ હજાર પિયાની લૂંટ કર્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech