પોરબંદરના વિરડીપ્લોટમાં આવેલા વણકરવાસ વિસ્તારમાં દાના ધંધાર્થીને પોલીસ સરકારી વાહનમાં ધરપકડ કરીને લઈ જતી હતી,ત્યારે તે આરોપીની પત્ની,પુત્ર અને પુત્રવધુએ આ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરતા ફરજમાં કાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે.
પોરબંદરના કિર્તિમંદિર પોલીસની સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કિશોર માલદેભાઈ શિંગરખીયા નામના યુવાન દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે કે, તેઓ તથા પોલીસ કોન્સ્ટેબલ જય રમેશભાઈ,હોથી અરજણભાઈ વગેરે વિરડીપ્લોટના વણકરવાસમાં ટાંકણી પુલ પાસે પહોંચ્યા ત્યારે એવી બાતમી મળી હતી કે,કરશન ઉગા સાદીયા નામનો ઈસમ પોતાના મકાનમાં દેશીદાનું વેચાણ કરી રહ્યો છે,આથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા કરશન ઉગા સાદીયા એ તેના મમાં દા ભરેલું પ્લાસ્ટિકનું બાચકું રાખ્યું હતુ,જેમાંથી ૩૫ જેટલી કોથળી દાની મળી આવી હતી,૭૦૦ પિયાનો આ દા પોલીસે કબ્જે કરી લીધો હતો અને ત્યારબાદ આ કરશન ઉગા સાદીયાની વિધિવત રીતે ધરપકડ કરીને સરકારી વાહનમાં બેસાડવામાં આવતો હતો.
ત્યારે કરશનના પત્ની નિમુબેન, પુત્ર ધવલ અને ધવલની પત્ની આશિયાના એમ ત્રણેય જણા દોડીને ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ કિશોર શીંગરખીયા પાસે આવી પહોંચ્યા હતા એ દરમિયાન આરોપી કરશન ઉગા સાદીયા પણ મોટા અવાજે બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચારેય વ્યક્તિઓ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આરોપી કરશનને છોડાવી લઈ જવાની કોશિશ કરી હતી,આથી પોલીસે તેની સામે કાયદેસરની ફરજમાં કાવટનો ગુન્હો નોંધ્યો હતો,તે ઉપરાંત કરશન ઉગા સાદીયા સામે પ્રોહીબિશનની અલગથી ફરીયાદ કરી હતી અને તેની સામે બે ગુન્હા નોંધ્યા હતા ઉલ્લેખનીય છે કે,પોરબંદરના વિરડીપ્લોટના આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દાનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે અને તે અંગેની લેખિત ફરીયાદો રેન્જ આઇ.જી. સુધી કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવતા નથી ત્યારે હવે પોલીસ ઉપર જ હુમલો થયો છે.
તેથી હવે પોલીસ કડક બનીને દાની બદીને નાથવા માટે મેદાને આવે અને કડક ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા આ વિસ્તારમાં દાની બદીને કાબુમાં લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech