પીપરટોડામાં પરિવારજનોએ ઠપકો આપતા તરુણીએ ગળાફાંસો ખાધાનું ખુલ્યું

  • May 29, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતથી મામાના ઘરે આવ્યા બાદ જીદી સ્વભાવના કારણે પગલુ ભર્યુ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં મામાના ઘેર રોકાવા આવેલી ભાણેજ નું શંકાસ્પદ મૃત્યુ અંગેના પ્રકરણમાં તેણીએ જાતે જ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું ખુલ્યું છે. આખો દિવસ મોબાઇલ અને ટીવીમાં વ્યસ્ત રહેતી હોવાથી પરિવારજનો એ ઘરકામ શીખવા ઠપકો આપતાં જિદ્દી સ્વભાવના કારણે આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
મૂળ સુરતની વતની અને હાલ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા પોતાના મામા મહેશભાઈ મનસુખભાઈ રાબડીયા ને ઘેર રોકાવા માટે આવેલી તેણીની ૧૩ વર્ષની ભાણેજ જેનીશાબેન પંકજભાઈ અભંગી, કે જેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું હતું, જે મામલે પોલીસને જાણ થતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જ્યાં તેણીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતકની માતા ઉર્મિલાબેન પંકજભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
જેમાં જણાવાયા અનુસાર જેનીશાબેન કે જે આખો દિવસ મોડી રાત્રે સુધી ટીવી અને મોબાઈલ જોવામાં વ્યસ્ત રહેતી હોવાથી અને તેણીની ઉમર ૧૩ વર્ષની થઈ ગઈ હોવાથી ઘરકામ શીખવા માટે ઠપકો આપ્યો હતો. પરંતુ પોતે જીદ્દી સ્વભાવની હોવાથી અને ઘરમાં કંઈ કામકાજ કરતી ન હોવાથી આખરે તેણીએ મામાના ઘેર છતના ટૂંકમાં ચુંદડી બાંધી આત્મહત્યા કરી દીધી હતી. લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application