સુરતથી મામાના ઘરે આવ્યા બાદ જીદી સ્વભાવના કારણે પગલુ ભર્યુ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં મામાના ઘેર રોકાવા આવેલી ભાણેજ નું શંકાસ્પદ મૃત્યુ અંગેના પ્રકરણમાં તેણીએ જાતે જ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું ખુલ્યું છે. આખો દિવસ મોબાઇલ અને ટીવીમાં વ્યસ્ત રહેતી હોવાથી પરિવારજનો એ ઘરકામ શીખવા ઠપકો આપતાં જિદ્દી સ્વભાવના કારણે આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
મૂળ સુરતની વતની અને હાલ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા પોતાના મામા મહેશભાઈ મનસુખભાઈ રાબડીયા ને ઘેર રોકાવા માટે આવેલી તેણીની ૧૩ વર્ષની ભાણેજ જેનીશાબેન પંકજભાઈ અભંગી, કે જેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું હતું, જે મામલે પોલીસને જાણ થતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જ્યાં તેણીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતકની માતા ઉર્મિલાબેન પંકજભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
જેમાં જણાવાયા અનુસાર જેનીશાબેન કે જે આખો દિવસ મોડી રાત્રે સુધી ટીવી અને મોબાઈલ જોવામાં વ્યસ્ત રહેતી હોવાથી અને તેણીની ઉમર ૧૩ વર્ષની થઈ ગઈ હોવાથી ઘરકામ શીખવા માટે ઠપકો આપ્યો હતો. પરંતુ પોતે જીદ્દી સ્વભાવની હોવાથી અને ઘરમાં કંઈ કામકાજ કરતી ન હોવાથી આખરે તેણીએ મામાના ઘેર છતના ટૂંકમાં ચુંદડી બાંધી આત્મહત્યા કરી દીધી હતી. લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech