પટેલકા ગામમાં પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ કર્યો આપઘાત

  • February 25, 2025 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​

સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા. જ્યાં સવિતાબેનના પતિ જયંતીભાઈએ સવિતાબેનના મોટાભાઈ અજયભાઈની મશ્કરી કરી હતી. જેથી તેઓ પોતાના ઘરેથી જમ્યા વગર જતા રહ્યા હતા. 
આ બનાવનું મનમાં લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધા હોવા અંગેની જાણ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા નારણભાઈ જોધાભાઈ બથવારએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News