મોરબીમાં ઉછીના પૈસા આપવાની ના કહેતા ઓફિસનો દરવાજો સળગાવી નાખ્યો

  • September 09, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રવાપર રોડ પર આવેલ જીટીપીએલ ઓફીસના સંચાલક પાસે હાથ ઉછીના પૈસા માંગતા સગવડ ના હોવાથી આપવાની ના પાડી હતી જેથી અજાણ્યા ઇસમ સહિતના બે ઇસમોએ વલંતશીલ પ્રવાહી વડે ઓફીસના દરવાજે પ્રવાહી છાંટી ઓફીસના દરવાજાને સળગાવી વીસથી પચાસ હજાર સુધીનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે
કાયાજી પ્લોટમાં રહેતા દિનેશભાઈ જયંતીલાલ પંડાએ આરોપીઓ જુનેદ ગુલામહત્પશેન પીલુડીયા રહે મહેન્દ્રપરા મોરબી અને અજાણ્યો ઇસમ વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૬ ના રોજ બપોરે ચારેક વાગ્યે ફરિયાદી દિનેશભાઈ સાથે કેબલ કનેકશન ઓપરેટર તરીકે વિશીપરામાં કામ સોપેલ હોય તેવા જુનેદ પીલુડીયાએ મોબાઈલમાં ફોન કરી પિયા પચાસ હજારની જરત છે સોમવાર સુધી ઉછીના આપવાની વાત કરી હતી જેથી તેને હાલ પૈસાની સગવડ નથી કહ્યું હતું અને સાંજથી રાત સુધીમાં પૈસા બાબતે અવારનવાર ફોન કર્યા હતા બાદમાં તા. ૦૭–૦૯ ના રોજ રાત્રીના એકાદ વાગ્યે મોબાઈલમાં જુનેદ ગુલામહત્પશેન પીલુડીયાનો ફોન આવ્યો અને પૈસા ઉછીના આપવાની વાત કરતા પૈસાની સગવડ થાય તેમ નથી કહેતા ઓફીસ સળગાવી નાખીશ તેવી ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો
તા. ૦૭–૦૯ ના રોજ બપોરે ઓફીસ આવ્યા ત્યારે ઓફિસની જારી બાદ આવેલ લાકડાનો દરવાજો સળગેલ હતો અને ઓફિસમાં કામ કરતા ગીરીરાજસિંહ ગોહિલ, મજબુતસિંહ ઝાલા, ઉપેન્દ્રભાઈ જોષી અને અજયભાઈ ભટ્ટ પણ આવી ગયા હતા જેથી ઓફીસના સીસીટીવી ચેક કરતા તા. ૦૭ ના વહેલી સવારના અરસામાં જુનેદ અને અન્ય ઇસમ બંને આવી બોટલમાં જલદ પ્રવાહી ભરી લાવ્યા હતા જે ઓફીસના દરવાજે છાંટી દીવાસળી સળગાવતા જોવા મળે છે આમ ઉછીના પિયા પચાસ હજાર માંગતા સગવડ ના હોવાથી ના પાડી હતી જેનો ખાર રાખી ઓફિસનો દરવાજો સળગાવી પિયા વીસ હજારથી પચાસ હજાર સુધીનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application