ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ હોવાની માહિતી મળી રહી છે. જે બાદ મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી શિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી. આ મહાપુરાણ કથા મેરઠના પરતાપુરના મેદાનમાં ચાલી રહી હતી.
મળતી માહિતી મુજબ આજે મહાશિવપુરાણ કથાનો છેલ્લો દિવસ હતો. કથા પંડાલના એન્ટ્રી ગેટ પર આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એન્ટ્રી ગેટ પર ભારે ભીડને કારણે હંગામો થયો હતો, જે બાદ ઝપાઝપી દરમિયાન મહિલાઓ એકબીજા પર પડી હતી. અચાનક આ અંધાધૂંધી સર્જાતા ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જે બાદ મહિલાઓ મદદ માટે બૂમો પાડવા લાગી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને આસપાસના લોકોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી અને પોલીસને જાણ કરી. જે બાદ પોલીસ ભારે સુરક્ષાબળ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
એન્ટ્રી ગેટ પર ભીડને કારણે આ અકસ્માત થયો
પોલીસ દ્વારા કથાના અંતિમ દિવસે કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જાતે જ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી કોઈની સ્થિતિ ગંભીર નહોતી અને તમામ ખતરાની બહાર છે. આજુબાજુના ગામોના લોકોએ પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરી.
આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હજુ સુધી આ ઘટના અંગે અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ ગેટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભારે ભીડ હોવાને કારણે બધા એન્ટ્રી ગેટમાંથી જ બહાર આવવા લાગ્યા હતા. જેના કારણે આ અકસ્માત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech