કુતિયાણામાં મજુરીકામના પૈસા પ્રશ્ર્ને યુવાન ઉપર ચાર ઈસમોએ કર્યો હુમલો

  • September 11, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીકના કુતિયાણા ગામે મજુરીના પૈસા પ્રશ્ર્ને યુવાનને માર મારવામાં આવતા ચાર ઈસમો સામે ફરીયાદ દાખલ થઈ છે.
કુતિયાણાના ચુનારાવાસમાં રહેતા અને મજુરીકામ કરતા જયદીપ રમેશ મકવાણા નામના ૧૯ વર્ષના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે,જેન્તી મનજી પરમાર તેની પાસે આવ્યો હતો અને મજુરીના પૈસાની ઉઘરાણી કરી હતી,પરંતુ જયદીપ પાસે પૈસા નહી હોવાથી જેન્તીભાઈને જણાવ્યું હતું કે,પૈસા નથી આથી જેન્તી ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ સવારે ૯:૦૦ વાગ્યે ફરીયાદી તેના ઘરની ગલી પાસે ઊભો હતો,ત્યારે જેન્તીભાઈ તથા તેની સાથે આવેલ અનિલ જેન્તી, ભરત મનજી અને ભાવેશ જેન્તીએ એવું કહ્યું હતું કે,અમારી મજુરીના પૈસા કેમ આપતો નથી? આથી ફરીયાદીએ કહ્યું હતું કે હાલ મારી પાસે પૈસા નથી આવશે એટલે તમને આપીશ આથી અનિલ  ગાળો દેવા લાગ્યો હતો અને ફરીયાદીએ તેને ગાળો દેવાની ના પાડતા લાકડી વડે જયદીપને માર માર્યો હતો તથા બધાએ સાથે મળીને માર માર્યો હતો અમારી મજુરીના પૈસા આપી દેજે નહીતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપીને ચાલ્યા ગયા હતા,આથી ઇજાગ્રસ્ત જયદીપને કુતિયાણાના દવાખાને દાખલ કર્યા બાદ તેણે મજુરીના પૈસા પ્રશ્ર્ને જેન્તી મનજી પરમાર, ભરત મનજી પરમાર,ભાવેશ જેન્તી પરમાર અને અનિલ જેન્તી પરમાર સામે ફરીયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application