ખંભાળિયામાં શિક્ષકો દ્વારા ગાંધી જયંતી નિમિત્તે રેલી કાઢીને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

  • October 03, 2023 11:13 AM 

રેલી સ્વરૂપે શિક્ષકો દ્વારા સરકારને રજૂઆત



દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ સવારે ગાંધી જયંતી નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા તેઓની પડતર માંગણીઓના અનુસંધાને રેલી તથા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના શિક્ષકો દ્વારા અહીંના મ્યુનિસિપલ ગાર્ડન ખાતેથી એક રેલી બેનરો સાથે અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે પહોંચી હતી અને ત્યાં ગાંધીજીને ફુલહાર તેમજ સુતરની આંટી અર્પણ કરી હતી.


આ સાથે શિક્ષકોના પડતર પ્રશ્નો જૂની પેન્શન યોજના લાગુ કરવા, શિક્ષિકાઓની પ્રસુતિની રજા સહિતના જુદા જુદા ત્રણ પડતર પ્રશ્નો અંગે કે જે અગાઉ સરકાર દ્વારા થયેલી વાટાઘાટો તેમજ સ્વીકારવામાં આવેલા ત્રણ મુદ્દાઓની અમલવારી કરવા માટેની માંગ કરી, શિક્ષકોએ "મારી માટી, મારુ સન્માન"ના કાર્યક્રમ હેઠળ અહીંની માટીનું તિલક કરીને સરકાર સમક્ષ પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application