શખ્સ સામે પોલીસ ફરિયાદ : તપાસમાં ખેતી અને બાંધકામ કર્યાનું ખુલ્યું
કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતા રાજશી પુંજાભાઈ છૈયા નામના શખ્સ દ્વારા આ જ ગામની સરવે નંબર ૧૩૫ (જુના સરવે નંબર ૯૦-૧-૧) વાળી આશરે ૧૦ વીઘા જેટલી સરકારી પડતર જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી અનધિકૃત રીતે કબજો જમાવીને અહીં ખેતીકામ તથા બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
આ અંગે કલ્યાણપુરના મામલતદાર ભરતકુમાર મોહનલાલ ખાનપરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાનપર શેરડી ગામના રાજશી છૈયા સામે ૩.૫૫ લાખની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવા સબબ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એ.એસ.પી. રાઘવ જૈન ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech