જામનગરના વિભાપરમાં જૂની ફરિયાદનો ખાર રાખી ત્રણ ઉપર ધોકા-લાકડીથી હુમલો

  • February 24, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વિભાપરમાં અગાઉની છેડતીની ફરિયાદ કરતા તેનો ખાર રાખી બે શખ્સોએ ધોકા, લાકડી વડે હુમલો કરતા બે ભાઇઓ સહીત ત્રણને ઇજા થતા બે ને રાજકોટ અને એક યુવકને જામનગર સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ વિભાપર ગમે રહેતા રાજેશભાઈ મનુભાઈ ગાંગીયા (ઉ.વ.૪૫) તેન અભય પ્રવીણભાઈ (ઉ.વ.૩૫) અને રાજેશભાઈનો પુત્ર રાકેશ (ઉ.વ.૩૨) ના ત્રણેય ઘરે હતા ત્યારે ઘર નજીક રહેતા વસંત, જેઠાભાઇ, ભખો, જગદીશ અને વિનુ બધા ઘરે આવી લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં ઘવાયેલા પ્રવીણભાઈ, રાજેશભાઈને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં અને રાકેશને જામનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પરિવારના કહેવા મુજબ ત્રણેક મહિના પહેલા હુમલો અરુણભાઈએ નશાની હાલતમાં અમારા ઘરના મહિલા સભ્યની છેડતી કરી હતી જે બાબતેની અરજી બેડી મરિન પોલીસમાં કરી હતી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા એસ.પી.ને પણ અરજી કરી હતી. આ વાતનું મનદુ:ખ રાખી ગઈકાલે હુમલો કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર બેડી મરીન પોલીસમાં જાણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application