જામનગરમાં રૂ. ૩.45 લાખની કિંમતનાં સોનાના ઘરેણાની ચોરી

  • September 07, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાનમાલિક પત્નીની દવા લેવા ગયા, તેટલા સમયમા જ તસ્કરો હાથ ફેરો કરી ગયા


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને ઉપાડો વધ્યો છે તાજેતરમાં રૂ ૧૧ લાખ  ની ચોરીનો  બનાવ તાજો છે. ત્યાં જ વધુ એક એપાર્ટમેન્ટમાં પાંચમે માળે આવેલા ફ્લેટ માંથી તસ્કરો રૂ ૩ લાખ ૪૫ હજાર ની કિંમત ના સોનાના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ છે.


જામનગરમાં  શરૂ સેક્શન રોડ ઉપર આવેલા અપૂર્વ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં પાંચ મા  માળે  ફ્લેટ નંબર ૫૦૧  માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશ નાં  આશુતોષસિંહ  શ્રી કૃષનસિંહ કુશવાહા નાં રહેણાક મકાનમાં ગત  તારીખ ૪  ના સવારે કોઈ તસ્કરો એ બાલકની માંથી દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશ કર્યો હતોઝ અને ઘરની તિજોરીમાંથી રૂ ૩ લાખ ૪૫ હજાર  ની કિંમતના ૯૫ ગ્રામ સોના ના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે આશુતોષ સિંહ કુશવાહા એ  પોલીસમા ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે એન જાડેજા તપાસ માટે  દોડી ગયા હતા.


મકાન માલિક પોતાની પત્ની ની બીમારીની સારવાર માટે શહેર ના ટાઉનહોલ પાસે આવેલ એક ખાનગી હોસ્પિટલ માં દવા લેવા ગયા હતા સવારે ૧૦ વાગ્યે તેઓ પોતાના ઘરના તાળા મારી ને  નીકળ્યા હતા, અને ૧૨:૪૫  કલાકે પરત ફર્યા  હતા  ત્યારે તે પોતાના ઘરમાં પ્રવેશતા રૂમમાં  તિજોરી માં સામાન વેર વિખેર નજરે પડ્યો હતો. અને કબાટ નાં ખાના ખુલ્લા જોવા મળ્યા હતા. જેમાં તપાસ કરતા સોનાના ઘરેણા ની ચોરી થઈ હોવા નું માલુમ પડ્યું હતું. આજે તેમણે પોલીસની જાણ કરી હતી. પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application