ગીર સોમનાથ જિલ્લામાં એક વર્ષમાં ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ કર્યા એટેન્ડ

  • February 04, 2025 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદ પ સાબિત થઈ છે. જેના દ્રારા અનેક લોકોના અમૂલ્ય જીવ બચે છે. અનેક અકસ્માતો, હાર્ટ એટેક, મહિલાઓની પ્રસૂતિ સમયે તથા કોરોના મહામારી સહિત કોઈપણ અન્ય આરોગ્ય ઇમરજન્સીમાં ૧૦૮ વાન આશીર્વાદ સમાન સાબિત થઈ છે.
ગીર સોમનાથ જિલ્લ ામાં કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેના માધ્યમથી વર્ષ ૨૦૨૪માં કુલ ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કરી અને માનવજીવન બચાવ્યાં છે.
જિલ્લ ા ૧૦૮ ઇમર્જન્સીના અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું કે, ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ ૨૪૭ ઇમરન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. ૧૦૮ સેવા દ્રારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લ ા ૧ વર્ષમાં ૧૯,૦૭૮ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે.
સૌથી વધુ ગર્ભવતી મહિલાઓના ૭,૪૩૭ કેસ અને અકસ્માતના ૨,૧૨૩ કેસ એટેન્ડ કરાયાં છે. જિલ્લ ાની ૧૦૮ સેવા કોઈપણ ઈમરજન્સી કે જે સ્વાસ્થ્ય સંબંધિત, ગુના સંબંધીત કે આગ સંબંધીત હોય તો મદદ મેળવવા ૧૦૮ને ચોક્કસપણે ફોન કરવા એમણે અનુરોધ કર્યેા હતો. ૧૦૮ સેવા ગુજરાતમાં શ કરવા અને સતત સહયોગ બદલ ગુજરાત રાય સરકારનો આભાર વ્યકત કરી અને રાયના લોકોએ સભાનતા અને જવાબદારી પૂર્વક આ સેવાનો જરિયાતના સમયે બહોળો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જિલ્લ ામાં ૧ આઇસીયુ વાન સહિત કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. અલગ અલગ પ્રકારના ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા છે. જેમાં પેટ દર્દના ૧૫૦૧, એલર્જી રિએકસનના ૩૬, શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા ૧,૦૬૪, હૃદય સંબધિત ૧,૨૬૪, ઉચ્ચ તાવના ૫૭૪, પ્રસુતિને લગતા ૭,૪૩૭ તેમજ અન્ય બીમારી અને અકસ્માતના મળી વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સે કુલ ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application