બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા

  • October 05, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેખ હસીનાની વિદાયના બે મહિના પછી પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અટકી રહ્યો નથી. દેશના સૌથી મોટા લઘુમતી સમુદાય તરીકે હિંદુઓ સતત જુલમનો સામનો કરી રહ્યા છે. બાંગ્લાદેશી હિન્દુઓને તેમના સૌથી મહત્વપૂર્ણ તહેવાર દુગર્િ પૂજાને લઈને પણ ધમકી આપવામાં આવી રહી છે.આના પગલે હજારો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી સરકાર વિરુદ્ધ બાયો ચડાવી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બાંગ્લાદેશમાં દુગર્િ પૂજા પહેલા, હિંદુઓ અને અન્ય લઘુમતીઓએ રાજધાની ઢાકામાં એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. બાંગ્લાદેશ યુનાઈટેડ માઈનોરિટી એલાયન્સના બેનર હેઠળ યોજાયેલી રેલીમાં દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન લઘુમતીઓને ન્યાયની બાંયધરી સહિત 8 મુદ્દાની માંગણીઓ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં, દુગર્િ પૂજા ઉત્સવને લઈને હિન્દુઓને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમને ઉત્સવ ન ઉજવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ઢાકામાં યોજાયેલી રેલીમાં દેશભરના વિવિધ મંદિરો અને મઠોના આધ્યાત્મિક નેતાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને જીવનના તમામ ક્ષેત્રના નાગરિકોએ ભાગ લીધો હતો.


રેલીમાં 8 માગણીઓ ઉઠાવાઈ
1- લઘુમતીઓ, ખાસ કરીને સનાતની હિંદુઓના જુલમ માટે ન્યાયની ખાતરી આપવા માટે તટસ્થ તપાસ પંચની રચના કરવી જોઈએ. ગુનેગારોને ઝડપી અને યોગ્ય સજા આપવા માટે ફેક્ટ ટ્રેક ટ્રાયલ ટ્રિબ્યુનલની સ્થાપ્ના તેમજ પીડિતોને પૂરતું વળતર અને પુનર્વસન પણ કરવું જોઈએ.
2- લઘુમતી સંરક્ષણ અધિનિયમ તાત્કાલિક લાગુ કરવો
3- લઘુમતી બાબતોનું મંત્રાલય બનાવવું જોઈએ.
4- હિન્દુ ધાર્મિક કલ્યાણ ટ્રસ્ટને હિન્દુ ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરવું. તેમજ બૌદ્ધ અને ખ્રિસ્તી ધાર્મિક કલ્યાણ ટ્રસ્ટને ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરવું જોઈએ.
5- ‘મિલકતની વસૂલાત અને રક્ષણ માટે કાયદો’ બનાવવો જોઈએ અને ‘સંપત્તિ પરત અધિનિયમ’નો યોગ્ય રીતે અમલ થવો જોઈએ.
6- તમામ જાહેર/ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનમાં લઘુમતી વિદ્યાર્થીઓ માટે પૂજા સ્થાનો અને દરેક હોસ્ટેલમાં પ્રાર્થના રૂમ ફાળવો.
7- સંસ્કૃત અને પાલી શિક્ષણ બોર્ડને આધુનિક બનાવવું જોઈએ.
8- શારદીય દુગર્િ પૂજા તહેવાર પર 8- 5 દિવસની રજા જાહેર કરવી જોઈએ. તેમજ દરેક લઘુમતી સમુદાયના મુખ્ય ધાર્મિક તહેવારો માટે રજાઓ આપવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application