બિહારના અરરિયામાં પુલ નિર્માણની અનોખી ધટના, ન નદી, ન રસ્તો, ખેતરની વચ્ચે જ બનાવી નાખ્યો પુલ

  • August 06, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના અરરિયા જિલ્લામાં પુલ તૂટી પડવાની ચર્ચા વચ્ચે એક અનોખા પુલ નિર્માણની નવી ધટના સામે આવી છે. રાણીગંજ બ્લોકના પરમાનંદપુર ગામમાં સુકાઈ ગયેલી નદી પરના પુલ અને લગભગ ત્રણ કિલોમીટરના રસ્તા માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ અહીં પુલ નદીની ઉપર નહીં પણ ખેતરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો જ્યાં રસ્તો પણ ન હતો.


18 જૂનના રોજ અરરિયાના પાદરિયા ઘાટ પર બનેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો, જે બાદ બ્રિજના નિર્માણ પર મોટા સવાલો ઉઠવા લાગ્યા હતા. નિર્માણ પામેલા આ પુલની બંને બાજુ રોડ નથી ત્યારે પુલનું શું કરવું તે અંગે ગ્રામજનો પરેશાન બન્યા છે. અહીં સરકારના આ અનોખા પુલને જોઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.


ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી

આ પુલ અને ત્રણ કિલોમીટરના રોડ માટે રૂરલ વર્કસ વિભાગને રૂ.3 કરોડ ફાળવવામાં આવ્યા હતા. બ્રિજ તો બની ગયો પરંતુ હવે એવી કોઈ સરકારી જમીન બચી નથી કે જેના પર રોડ કે એપ્રોચ રોડ બનાવી શકાય. લોકોનું કહેવું છે કે હવે માત્ર ખાનગી જમીન છે જેને પ્લાન પાસ કરતા પહેલા ધ્યાનમાં લેવામાં આવી ન હતી. ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી પૈસાને પચાવી પાડવાનાં ઈરાદે આ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ પુલ અને યોજના વહીવટીતંત્રના પક્ષે કાંટા સમાન બની રહી છે.


આ મામલે ડીએમએ શું કહ્યું?

આ અંગે અરરિયાના ડીએમ ઇનાયત ખાને કહ્યું કે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જેમાં કાર્યપાલક ઈજનેર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સાથે એસડીઓ, સીઓ સહિત સંબંધિત એન્જિનિયરને ઘટના સ્થળ અને વિસ્તારની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે. કામ યોગ્ય રીતે થયું હતું કે નહીં,  ભૂતકાળમાં યોગ્ય તકેદારી રાખવામાં આવી હતી કે નહીં, જમીન બાબતે તમામ માહિતી અને તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application