મહત્વનો નિર્ણય : રાજ્ય સરકારે કરાર આધારીત તજજ્ઞ તબીબોના વેતનમાં કર્યો વધારો, હવે મળશે આટલો પગાર

  • August 28, 2024 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોને મળતા વેતનમાં 35 હજારનો વધારો કર્યો છે. CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન  રૂ. 95,000 થી વધારીને રૂ. 1.30 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.



તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂ. 300 થી લઇ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે.



કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને  પ્રોત્સાહક રકમના 50 ટકા પ્રતિ સર્જરી આપવામાં આવશે.



કરાર આધારિત તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂંક બંધ કરવામાં આવી છે.



રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.



રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે. 



કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. 95,000  પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. 1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત 37% જેટલો વધારો કરવામાં આવ્યો છે.



વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. 300  થી રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે.



વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને  પ્રોત્સાહક રકમના 50 ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.



સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.



રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. 2000 અને રૂ. 1250 તેમજ માઇનોર સર્જરી માટે રૂ. 600 અને રૂ. 300  પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે  તજજ્ઞ તબીબોની સેવા વધુ સુદ્રઢ બને તે માટે આ નિર્ણય લેવમાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application