દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ, આ દિવસે શરૂ થશે જગન્નાથ રથયાત્રા

  • June 02, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓરિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના પવિત્ર મંદિરોમાંનું એક છે. દર વર્ષે અષાઢ મહિનામાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથને વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. જગન્નાથ એટલે જગતના નાથ. દર વર્ષે અષાઢી બીજના દિવસે માત્ર ઓરિસ્સા જ નહીં, દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં છે.



દર વર્ષે અષાઢી બીજથી રથયાત્રાનો પ્રારંભ થાય છે અને શુક્લ પક્ષની એકાદશીએ આ યાત્રા જગન્નાથજીના નીજ મંદિર પરત ફરવાની સાથે સમાપ્ત થાય છે. દર વર્ષે આ રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ યાત્રામાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.


અષાઢ માસની શુક્લ પક્ષ બીજે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 19 જૂન, 2023ના રોજ સવારે 11.25 વાગ્યે બીજની તિથી શરૂ થશે અને 20 જૂને બપોરે 01:07 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિને મહત્વ આપીને 20 જૂન 2023ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. ભગવાન જગન્નાથની રથયાત્રા 20 જૂન, 2023 ના રોજ રાત્રે 10.04 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે 21 જૂન, 2023 ના રોજ સવારે 07.09 વાગ્યે સમાપ્ત થશે.


જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને દેવી સુભદ્રાને અલગ અલગ રથમાં બેસાડવામાં આવે છે. જે બાદ તેમને ગુંડીચા મંદિર એટલે કે તેમની મામાના ઘરે લઈ જવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથના મામાનું ઘર છે. રથયાત્રાના 7 દિવસ પછી ત્રણેય રથ જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા બિરાજમાન હોય છે, તેમને અષાઢ મહિનાની શુક્લ પક્ષ દશમીના રોજ મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે. કહેવાય છે કે આ સાત દિવસો દરમ્યાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે અહીં ગુંડીચા મંદિરમાં આરામ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application