મૂર્છિત અવસ્થામાં ભાણવડના યુવાનનું અપમૃત્યુ

  • January 02, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટા માંઢાની પરિણીતાનું દાઝી જતા મૃત્યુ

ભાણવડ વિસ્તારમાં આવેલી વાલ્મિકી કોલોની ખાતે રહેતા રાકેશભાઈ કિશોરભાઈ ઢાકેચા નામના ૨૬ વર્ષના વાલ્મિકી યુવાન કે જે અશક્ત હોય, જેના કારણે તે પડી જતા મૂર્છિત હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ સાગર ઢાંકેચાએ ભાણવડ પોલીસને કરી છે.
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા કવિતાબેન ભરતભાઈ પંચમતીયા નામના પરિણીતા રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ પરાગભાઈ તુલસીદાસ પંચમતીયાએ સ્થાનિક પોલીસને કરી છે. મૃતક મહિલાનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application