જામ્‌યુકોએ બનાવેલા બે કુંડમાં 266 ગણેશજીની મુર્તિનું વિસર્જન

  • September 10, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થળ બદલીને બે કુંડ બનાવ્યા છે, રણજીતસાગર રોડ પર એક કુંડ બનાવાયો છે જેમાં અત્યાર સુધીમાં 69 ઉપરાંત હોટલ વિશાલ ઇન્ટરનેશનલના પાછળના ભાગમાં પણ એક કુંડ બનાવાયો છે, 50 મીટર પહોળાઇ તેમજ 7.5 ફુટની એવરેજવાળો કુંડ બનાવતાં ગઇકાલ સાંજ સુધીમાં 266 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વિશાલ હોટલ પાસે 197 અને રણજીતસાગર રોડ પર બનાવેલા કુંડમાં 69 ગજાનનની મૂર્તિનું વિસર્જન કરાયું છે. પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની અને હીરેન સોલંકી સહિતના 5 સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થામાં દેખરેખ રાખી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application