મંગળવાર 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થશે. આવી સ્થિતિમાં ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે. જેની અસર કરોડો લોકોના જીવન પર પડશે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડીમેટ ખાતા માટે નિયમો વધુ કડક થઈ રહ્યા છે. સેબી દ્વારા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે બનાવેલા નવા નિયમો લાગુ થવાના છે.
નવું નાણાકીય વર્ષ 2025-26 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. મંગળવાર 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થશે. આવી સ્થિતિમાં ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે. જેની અસર કરોડો લોકોના જીવન પર પડશે. આજે અમે તમને આ સમાચાર દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે કયા-કયા ફેરફારો થવાના છે, જે સીધી તમારી ખિસ્સા પર અસર કરશે.
નહીં મળે ડિવિડન્ડ
જો તમે હજુ સુધી તમારા પાન અને આધારને લિંક નથી કર્યું, તો તમને 1 એપ્રિલ 2025થી ડિવિડન્ડ મળવાનું બંધ થઈ જશે. ત્યારબાદ ડિવિડન્ડ અને કેપિટલ ગેઈન્સથી જતી ટીડીએસ ડિડક્શનમાં પણ વધારો થશે. એટલું જ નહીં, તમને ફોર્મ 26ASમાં કોઈ ક્રેડિટ પણ નહીં મળે.
મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડીમેટ ખાતું
મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડીમેટ ખાતા માટે નિયમો વધુ કડક થઈ રહ્યા છે. સેબી દ્વારા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે બનાવેલા નવા નિયમો લાગુ થવાના છે. નવા નિયમો અનુસાર તમામ યુઝર્સે તેમની કેવાયસી અને બનાવેલા નોમિનીની તમામ વિગતોને ફરીથી વેરિફાઈ કરવી પડશે. જો તમે આવું નહીં કરો, તો તમારું ખાતું પણ ફ્રીઝ થઈ શકે છે.
UPI નહીં ચાલે
દેશમાં વધી રહેલા ફાઇનાન્શિયલ ફ્રોડને ઘટાડવા માટે NPCI 1 એપ્રિલ 2025થી UPIના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે બેંક ખાતામાંથી તમે UPI ચલાવી રહ્યા છો, તે બેંક ખાતા સાથે લિંક કરેલો મોબાઈલ નંબર જો લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો આવી UPI ID 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે.
ટેક્સ રિજીમમાં પણ ફેરફાર
જો તમે નવો ટેક્સ રિજીમ પસંદ કરો છો અને હવે જૂની ટેક્સ વ્યવસ્થામાં જવા માંગો છો, તો તમે આ ફેરફાર પણ કરી શકો છો. જો તમે ટેક્સ ફાઈલિંગ સમયે ઓલ્ડ ટેક્સ રિજીમની જાહેરાત નહીં કરો, તો સિસ્ટમ ઓટોમેટિક તમને ન્યૂ ટેક્સ રિજીમમાં નાખી દેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ધ્રોલના વાંકિયા ગામે 1.68 લાખનું જીરું તસ્કરો ચોરી ગયા
March 26, 2025 06:33 PMજામનગર : આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત
March 26, 2025 06:31 PMઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં કે છાશ, ક્યુ છે બેસ્ટ?
March 26, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech