મોટાભાગે દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળતો હોય છે. ત્યારે આ છોડ માત્ર ધાર્મિક મહત્વ જ નથી ધરવતો પરંતુ તે ઔષધીય ગુણધર્મોથી પણ ભરપૂર છે. આયુર્વેદમાં તુલસીને "ઔષધિઓની રાણી" કહેવામાં આવે છે કારણ કે તે ઘણા રોગોને રોકવામાં મદદ કરે છે. તેને ઘરમાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે, સકારાત્મક ઉર્જા વધે છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે પરંતુ ઉનાળાની ઋતુમાં તુલસીનો છોડ ઝડપથી સુકાઈ જવા લાગે છે. તીવ્ર સૂર્યપ્રકાશ, પાણીની અછત અને વધતા તાપમાનને કારણે તેના પાંદડા પીળા પડી જાય છે અને ક્યારેક આખો છોડ સુકાઈ જાય છે.
ત્યારે જો ઉનાળામાં પણ તમારા તુલસીના છોડને લીલો અને સ્વસ્થ રાખવો હોય તો થોડી કાળજી લેવાની જરૂર પડશે. અ માટે જાણો કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ, જેના દ્વારા ઉનાળાની ઋતુમાં પણ તુલસીના છોડને સ્વસ્થ અને લીલો રાખી શકો છો.
૧. છોડને યોગ્ય જગ્યાએ મૂકો
તુલસીના છોડને સૂર્યપ્રકાશ અનુકુળ આવે છે પરંતુ ઉનાળામાં વધુ પડતો સૂર્યપ્રકાશ તેને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તુલસીના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં તેને સવારનો હળવો સૂર્યપ્રકાશ મળે અને બપોરના તીવ્ર સૂર્યપ્રકાશથી સુરક્ષિત રહે. જો તુલસીનો છોડ ખુલ્લામાં રાખવામાં આવે તો શેડ અથવા ગ્રીન નેટનો ઉપયોગ કરો. છોડને બાલ્કની અથવા બારી પાસે રાખો, જ્યાં તેને હળવો સૂર્યપ્રકાશ અને તાજી હવા મળે.
૨. યોગ્ય માત્રામાં પાણી આપો
ઉનાળામાં તુલસીના છોડને વધુ પાણીની જરૂર પડે છે પરંતુ વધુ પડતા પાણીથી મૂળ સડી પણ શકે છે. તેથી, દિવસમાં બે વાર સવારે અને સાંજે પાણી આપો. બપોરે પાણી આપવાનું ટાળો કારણ કે ગરમ માટીને પાણી આપવાથી મૂળને નુકસાન થઈ શકે છે. ઉપરાંત, કુંડાની માટી પણ તપાસો. માટી સૂકી લાગે તો જ પાણી ઉમેરો. તુલસીના પાન પર હળવું સ્પ્રે કરો, આનાથી પાન લીલા અને તાજા રહેશે.
૩. યોગ્ય માટીનો ઉપયોગ કરો
તુલસીના છોડના સારા ગ્રોથ માટે ફળદ્રુપ અને સારી રીતે પાણી નિતારેલી માટીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, ગાયના છાણનું ખાતર, કાર્બનિક ખાતર અને રેતી ભેળવીને જમીનને હલકી અને ફળદ્રુપ બનાવો. તુલસીના કુંડામાં દર 15 દિવસે ખાતર ઉમેરો, જેથી છોડને જરૂરી પોષણ મળતું રહે. જમીનમાં ભેજ જાળવવા માટે લીલા ઘાસ (પાંદડા અથવા સૂકા ઘાસના સ્તરથી ઢાંકી દો).
૪. અતિશય ગરમીમાં તુલસીના પાન તોડવાનું ટાળો
ઉનાળામાં, તુલસીનો છોડ પહેલેથી જ નબળો હોય છે, તેથી જો તેના વધુ પાંદડા તોડી નાખો તો છોડ વધુ નબળો પડી શકે છે. એટલે વધુ માત્રામાં પાંદડા તોડશો નહીં, આનાથી છોડને સ્વસ્થ થવા માટે સમય મળશે. જરૂર મુજબ જ તુલસીના પાન તોડો. નવા કુમળા પાંદડા તોડવાને બદલે, જૂના પાંદડા વાપરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech