કારની ચાવી ન આપી તો સગીર પુત્રએ પિતાની ચાકુ મારી હત્યા કરી નાખી

  • September 26, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના બુલંદશહેરમાંથી હત્યાનો એક સનસનાટીભર્યેા મામલો સામે આવ્યો છે. અહીં એક ૧૫ વર્ષના સગીર પુત્રએ તેના હેડ કોન્સ્ટેબલ પિતાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. આ મામલો બુલંદશહેર કોતવાલી દેહાત વિસ્તારની યમુનાપુરમ કોલોનીનો છે, યાં ધોરણ ૧૦ના એક સગીર પુત્રએ કારની ચાવી ન આપવા બદલ તેના પિતાની છરી વડે ઘા મારીને હત્યા કરી દીધી હતી. ઘાયલ પ્રવીણ કુમારને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા યાં રસ્તામાં જ પ્રવીણ કુમારનું મોત નીપયું હતું. ઘટના બની ત્યારે મૃતકની પત્ની અને સસરા ઘરે હાજર હતા.
ઘટના અંગે માહિતી આપતાં મૃતકના સસરા વિશંભર દયાલે જણાવ્યું કે ઘટના સમયે તે ઘરે હાજર હતા. પ્રવીણનો પુત્ર કારની ચાવી માંગતો હતો, પ્રવીણ ના પાડી રહ્યો હતો. તે બે–ત્રણ દિવસ પહેલા આખી રાત કાર લઈને કયાંક ગયો હતો. આથી પ્રવીણ તેના પુત્રને ચાવી આપવાની ના પાડી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આ પછી પ્રવીણનો પુત્ર ગુસ્સામાં આવીને શાકભાજી કાપવાની છરી લાવ્યો હતો અને પ્રવીણની છાતીમાં ઘા માર્યેા હતો. છરી સીધી પ્રવીણના હૃદયમાં ઘુસી ગઈ હતી. છરીની ઇજાને કારણે લોહી વહેવા લાગ્યું. આ પછી પ્રવીણ જમીન પર પડો હતો. ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો અને રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહના પંચનામું પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
પોલીસે મૃતદેહનો પંચાયતનામા નોંધીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ પોલીસે હત્યા કરાયેલ પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application