છેલ્લા થોડા સમયથી વિવાદોમાં રહેલી IAS પૂજા ખેડકર છેલ્લા 5 દિવસથી ગાયબ છે. પૂજા ખેડકર ક્યાં છે તેનો કોઈને ખ્યાલ નથી. દિલ્હી પોલીસની FIR બાદ પૂજા ખેડકર ગાયબ થઇ ગઈ છે. 23 જુલાઈના રોજ પૂજા ખેડકર મસૂરીમાં યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર પણ પહોંચી ન હતી.
પૂજા ખેડકર સામે નોટિસ જારી
ગયા અઠવાડિયે દિલ્હીમાં તેમની સામે ખોટી માહિતી અને તથ્યોની ખોટી રજૂઆતના આરોપમાં ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 2022 ની પરીક્ષા માટે તેમની ઉમેદવારી રદ કરવા અંગે કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે અને તેમને ભવિષ્યની પરીક્ષાઓમાંથી નિષિદ્ધ કરવાનું વિચારી રહ્યું છે.
કેન્દ્રએ પુણે પોલીસને વિવાદાસ્પદ IAS પ્રોબેશનર પૂજા ખેડકરના માતા-પિતાની વૈવાહિક સ્થિતિની જાણ કરવા નિર્દેશ આપ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂજા પર UPSC પરીક્ષામાં OBC નોન-ક્રિમી લેયરનો ફાયદો ઉઠાવવાનો છેતરપિંડી કરવાનો આરોપ છે.
ખેડકર પર ભથ્થા અને સુવિધાઓની માંગણી કરીને સત્તા અને વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના માટે તેણી મહારાષ્ટ્રમાં પુણે જિલ્લા કલેક્ટર કચેરીમાં તાજેતરની તાલીમ દરમિયાન હકદાર ન હતી. તેમના પર દરેકને ડરાવવાનો અને તેમના કાર્યકાળ દરમિયાન ઉપયોગમાં લેવાતી ખાનગી ઓડી (એક લક્ઝરી સેડાન) કાર પર લાલ-બ્લુ લાઇટ્સ લગાવવાનો પણ આરોપ છે. જેમાં 'મહારાષ્ટ્ર સરકાર' પણ લખવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech