વર્ષ 2020માં આખી દુનિયા કોવિડનો સામનો કરી રહી હતી. કોવિડ લોકડાઉનમાં પ્રવાસી મજુરો અને દેશભરના જરુરિયાતમંદ તમામ લોકો પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે તરસી રહ્યા હતા. આ દરમિયાન લોકો એકબીજાની મદદ માટે આવ્યા હતા. આ દરમિયાન બોલિવુડ સ્ટાર સોનું સુદ પણ મસીહા બની બધાની સામે આવ્યો હતો.
તેમણે એટલી મદદ કરી કે પોતાની પ્રોપર્ટી પણ ગિરવે રાખી દીધી હતી. જમવાના પેકેટથી લઈ બસ શરુ કરવાવાની તમામ સંભવ પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. આજે પણ અભિનેતા લોકોની મદદ કરી રહ્યો છે.
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેની વાતચીતમાં સોનુ સૂદે જણાવ્યું કે તેને ઘણી વખત રાજકારણમાં જોડાવા માટે સારી ઓફર મળી હતી.તેને રાજ્યસભામાં પણ સીટ ઓફર કરવામાં આવી હતી પરંતુ અભિનેતાએ આ તમામ ઓફરને ઠુરાવી દીધી હતી. તેની પાછળના કારણનો પણ સોનુ સુદે ખુલાસો કર્યો છે.
જ્યારે સોનુ સુદે લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરવાની શરુ કરી તો લોકોને એવું લાગ્યું તે આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે, તેને રાજનીતિમાં આવવું છે. પરંતુ અભિનેતાએ આ વાતને ક્યારે પણ મનમાં લીધી ન હતી. સોનુ સુદ પોતાની આવનારી ફિલ્મ ફતેહનું પ્રમોશન કરી રહ્યો હતો.
આ દરમિયાન તેમણે ફરી એક વખત રાજનીતિમાં સામેલ થવાને લઈ સવાલો કરવામાં આવ્યા હતા. જેના પર અભિનેતાએ કહ્યું મને સીએમ બનવાની પણ ઓફર મળી હતી.જ્યારે મે આના વિશે ના પાડી તો મને કહેવામાં આવ્યું કે, ડિપ્યુટી સીમે બની જા. તે બધા મોટા લોકો હતા. મને રાજ્યસભાની સીટની પણ ઓફર થઈ હતી.
સોનુ સુદે રાજનીતિમાં ન આવવાના કારણનો પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું રાજકારણમાં લોકો 2 કારણે આવે છે. એક તો પૈસા કમાવવા અને બીજું સત્તા માટે અને મારે આ બન્નેમાંથી કોઈની જરુર નથી.
જો મારે લોકોની મદદ કરવી છે, તો હું પહેલાથી જ તેમની મદદ કરી રહ્યો છે. મારે કોઈને પુછવાની જરુર નથી. કોઈ જાતિ, ધર્મ, ભાષા વગર કોઈ ભેદ જોયા વગર હું મદદ કરું છુ. પરંતુ રાજકારણમાં આવ્યા બાદ મારે કોઈને જવાબ આપવો પડશે અને મને ડર છે કે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ખાતે સદગુરૂ ક્રિષ્નાનંદજી મહારાજનું પ્રવચન યોજાયુ
April 02, 2025 10:59 AMરાજકોટ માર્કેટ યાર્ડની આવક ૨૬ કરોડથી વધીને ૪૧ કરોડે પહોંચી
April 02, 2025 10:57 AMશસ્ત્રોના વેચાણમાં ભારતનો નવો રેકોર્ડ:૨૩,૬૨૨ કરોડના સંરક્ષણ સાધનોની નિકાસ
April 02, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech