સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે નીટ કેસની સુનાવણી દરમિયાન જ્યારે એક વકીલે ખોટી દલીલો અને વધુ પડતી દરમિયાનગીરી કરી ત્યારે કડક વલણ અપનાવ્યું અને તેમને ચેતવણી આપી કે જો તેઓ તેમના વારાની રાહ જોયા વિના બોલ્યા જ કરશે તો તેઓ તેમને કોર્ટની બહાર કાઢી મુકશે વાસ્તવમાં, નીટ કેસની સુનાવણી ચાલી રહી હતી, તે દરમિયાન એક વકીલે પોતાનો ટર્ન લીધા વિના ચીફ જસ્ટિસની બેન્ચ સામે દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચીફ જસ્ટિસે તેમને ચેતવણી આપી હતી કે તેઓ આવી દખલગીરી બિલકુલ ચલાવી લેશે નહીં. એડવોકેટ એમ.જે.નેદુમપરાએ દલીલ કરવાની પરવાનગી માગી હતી.ચીફ જસ્ટિસે કડક સૂરમાં પરખાવી દીધું હતું કે આ કોર્ટ રૂમનો ઇન્ચાર્જ હું છું, તમે નહી.આ દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે વરિષ્ઠ વકીલ નરેન્દ્ર હુડ્ડાની દલીલો બાદ તેમને તક આપવામાં આવશે. પરંતુ નેદુમપરાએ વારંવાર દલીલોની માંગણી કર્યા પછી, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે નેદુમપરાને બેસી જવા કહ્યું. અન્યથા અમે તેમને કોર્ટની બહાર કાઢી મુકીશું. અને તેમ છતાં વકીલ દલીલ કરતા રહ્યા તો ચીફ જસ્ટિસે સુરક્ષા ગાર્ડને બોલાવી વકીલને બહાર લઈ જવા આદેશ આપ્યો હતો.
જો કે બાદમાં નેદુમપારા પોતે કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ તે પાછો આવ્યો અને કોર્ટમાં કહ્યું કે મને માફ કરજો પણ મેં કંઈ ખોટું કર્યું નથી અને તેનો વારો આવ્યા બાદ પોતાની દલીલ રજૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી
April 10, 2025 01:29 PMમહાવીર જયંતિ: જાણો ભારતમાં મહાવીર સ્વામીનું સૌથી મોટું મંદિર ક્યાં આવેલું છે
April 10, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech