આમિર સાથે ડિવોર્સ બાદ હું વધારે ખુશ છું

  • July 22, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છૂટાછેડાના 3 વર્ષ બાદ આમિરની એક્સ પત્ની કિરણ રાવે તોડ્યું મૌન
કિરણે આમિર ખાન સાથે પોતાના ડિવોર્સને લઈને જે કહ્યું તેને સાંભળીને થોડુ અજીબ લાગશે. તેમણે કહ્યું કે તે ડિવોર્સ બાદ ખૂબ જ ખુશ છે.
બોલિવુડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે. બન્નેએ 16 વર્ષ સાથે રહ્યા બાદ વર્ષ 2021માં ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો. ડિવોર્સ બાદ પણ તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. બન્ને ઘણી વખત પરિવાર અને પોતાના દિકરાની સાથે સમય પસાર કરતા જોવા મળે છે.
હાલમાં જ આમિર અને કિરણે લાપતા લેડીઝ ફિલ્મ માટે કોલેબોરેટ કર્યું હતું. આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી. આ વચ્ચે કિરણે આમિર સાથે પોતાના ડિવોર્સને લઈને જે કહ્યું તેને સાંભળીને તમને અજીબ લાગી શકે છે. તેમણે કહ્યું કે તે ડિવોર્સ બાદ ખૂબ જ ખુશ છે.
કિરણ રાવ હાલમાં જએક શોમાં આવી હતી. આ સમય દરમિયાન તેમણે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલીને વાત કરી છે. કિરણે કહ્યું, મને એવું લાગી રહ્યું છે કે સમય સમય પર તમને પોતાના સંબંધને ફરીથી એક નવી રીતે ડિફાઈન કરવાની જરૂર હોય છે.
એવું એટલા માટે કારણ કે આપડે જેમ જેમ મોટા થઈએ છીએ. આપણે એક વ્યક્તિના રૂપમાં ખૂબ જ બદલાઈ જઈએ છીએ. આપણને અલગ અલગ વસ્તુઓની જરૂર હોય છે. મને લાગે છે કે હું ડિવોર્સ બાદ ખૂબ જ વધારે ખુશ છું. એવું તમે આને એક હેપી ડિવોર્સ કહી શકો.
કિરણ રાવે આગળ કહ્યું, જ્યારે મારા લગ્ન ન હતા થયા ત્યારે હું લાંબા સમય સુધી એકલી રહી હતી. મેં લગ્ન પહેલા પોતાની લાઈફ અને આઝાદીનો સંપૂર્ણ આનંદ લીધો હતો. તે સમયે મને એકલું લાગી રહ્યું હતું. પરંતુ હવે નથી લાગતું કારણ કે હું પોતાના દિકરા આઝાદની સાથે છું.
મને લાગે છે કે મોટાભાગના લોકો ડિવોર્સ બાદ એકલતા અનુભવે છે. પરંતુ મને ક્યારેય એકલું લાગ્યું જ નહીં. કારણ કે મને આમિર અને પોતાના પરિવારનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે. માટે હકીકતે આ ફક્ત સારી વિસ્તુઓ જ રહી છે. આ એક ખૂબ જ હેપ્પી ડિવોર્સ રહ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application