બુધવારે કિસાનપરા ચોકમાં આઈ લવ ભારતમાતા કાર્યક્રમ: પૂજન-આરતી કરાશે

  • February 12, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાયન્સ ક્લબ ઓફ ભારત-વાયબ્રન્ટ રાજકોટ દ્વારા આગામી તા.14-2ને બુધવારના દિવસે આઈ લવ ભારતમાતા કાર્યક્રમ કિસાનપરા ચોકમાં સાયકલ સ્ટેન્ડ પાસે રાખેલ છે. આ કાર્યક્રમમાં ભારતમાતાની મૂર્તિ અને ભારતમાતાનું કટઆઉટ મૂકવામાં આવશે તે દિવસે લોકો સ્ટેજ પાસે આવી ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરશે. આ કાર્યક્રમ બપોરે 5થી શ થઈને રાત્રીના 8 કલાક સુધી રહેશે. સાંજે 7-15 કલાકે ભારતમાતાની મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશ પ્રત્યે એક લાગણી પ્રગટે અને નેશન ફર્સ્ટ (રાષ્ટ્રપ્રેમ પ્રથમ)ની લાગણી આજના યુવાધનમાં પ્રેરાય તેવા આશયથી યોજવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application