સામાન્ય રીતે છુટાછેડા લેવાની કે ભરણપોષણ માગવાની એક ઉમર હોય છે અને દંપતી બાદમાં એકબીજા સાથે યા તો અનુકુલન સાધી લેતા હોય છે અથવા તો કાયમ માટે છુટા પડી જતા હોય છે પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટમાં તાજેતરમાં એક વિચિત્ર કેસ આવ્યો છે જેમાં 75 વર્ષની પત્નીને ભરણપોષણ ન આપવું પડે એ માટે 80 વર્ષના પતિ હાઈકોર્ટમાં પહોચ્યો છે અને ન્યાયની ગુહાર લગાવી છે. ઉલ્લેખનીય છે કે ફેમીલી કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેથી પતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
હાઈકોર્ટમાં આ વૃદ્ધ દંપતીના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીએ પણ તેમને સલાહ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી કે આ કાનૂની લડાઈ જબરી ચિંતાનો વિષય છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસે વૃદ્ધ દંપતીની ભરણપોષણની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કલયુગ આ ગયા હૈ. પતિ પાસે ભરણપોષણની માંગણી કરતી પત્નીનો આ મામલો જ ચોંકાવનારો છે. સામાન્ય રીતે આવા કેસ કોર્ટમાં આવતા નથી.
અહેવાલ મુજબ, ભરણપોષણ માટે એકબીજા સામે કાયદાકીય લડાઈ લડી રહેલા આ વૃદ્ધ દંપતીને ધ્યાનમાં રાખીને, અલાહાબાદ હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે એવું લાગે છે કે કળિયુગ આવી ગયું છે.આ વૃદ્ધ દંપતીના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીએ તેમને સલાહ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. અલીગઢના રહેવાસી મુનેશ કુમાર ગુપ્તાએ અલાહાબાદ હાઈકોર્ટમાં તેની પત્ની દ્વારા ભરણપોષણની માંગણી વિરુદ્ધ અરજી દાખલ કરી છે.નોંધનીય છે કે, ભરણપોષણની માંગ કરતી 75 વર્ષની પત્નીની અરજી પર ફેમિલી કોર્ટે ચુકાદો આપતાં તેમના પક્ષમાં આદેશ આપ્યો હતો. ફેમિલી કોર્ટના આ આદેશને 80 વર્ષના મુનેશ કુમાર ગુપ્તાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ કેસની સુનાવણી બાદ અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા પત્નીને નોટિસ જારી કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે તેમને આશા છે કે તેઓ આગામી સુનાવણી સુધીમાં કોઈ સમજૂતી પર પહોંચી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech