કોઠારીયામાં ટિફિન બનાવવા બાબતે પતિએ પત્નીને પટ્ટા વડે માર માર્યો

  • March 19, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઠારીયામાં સીતારામ સોસાયટીમાં રહેતી પરિણીતાને ટિફિન બનાવવા બાબતે પતિએ પટ્ટા વડે બેફામ મારતા તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણે પતિ સામે બે વર્ષના લજીવન દરમિયાન શારીરિક–માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં કોઠારીયા ગામે સીતારામ સોસાયટી શેરી નંબર ૬ માં રહેતી અંજલી મોહિતભાઈ ગોંડલીયા(ઉ.વ ૨૧) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મોહિત ચરણદાસ ગોંડલીયાનું નામ આપ્યું છે.

પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના બે વર્ષ પૂર્વે મોહિત સાથે લ થયા હતા પતિ શાપરમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. દરમિયાન ગઈકાલ સવારે પતિને નોકરીએ જવાનું હોય જેથી તેણે પત્નીને પૂછયું હતું કે મા ટિફિન બનાવ્યું છે કે કેમ? જેથી પરિણીતાએ કહ્યું હતું કે તમે ગઈકાલ સાંજે ટિફિન બનાવવાની ના પાડી હતી જેથી મેં ટિફિન બનાવ્યું નથી. આ સાંભળી પતિ ઉશ્કેરાયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. અંજલીએ ગાળો આપવાની ના કહેતા તેણે વધુ ઉશ્કેરાઈ જઇ કમર પટ્ટા વડે માર મારવાનું શ કરી દીધું હતું.દરમિયાન નણદં જલ્પાએ વચ્ચે પડી તેને વધુ મારમાંથી બચાવી હતી.
બાદમાં પરિણીતાએ પોતાના કેશોદ રહેતા કાકા કાનદાસભાઈને ફોન કરી જણાવ્યું હતું કે,પતિ અવારનવાર નાની–નાની બાબતે ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે અને મારે તેની સાથે રહેવું નથી તેવું જણાવતા કાકા તથા અન્ય સંબંધી અહીં આવી ગયા હતા. બાદમાં પરિણિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવતા તેના આધારે આજીડેમ પોલીસે તેણીના પતિ મોહિત ગોંડલીયા સામે આઇપીસી ની કલમ ૪૯૮(ક) અને ૩૨૩ તથા ૫૦૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application