આધાર કાર્ડમાં કેટલી વાર એડ્રેસ બદલી શકાય છે? જાણવું ખૂબ જ જરૂરી

  • September 23, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં રહેવા માટે લોકો પાસે કેટલાક દસ્તાવેજ હોવા જરૂરી છે. દરરોજ આ દસ્તાવેજોની કંઈ ને કંઈ જરૂર રહે છે. જો આ બધા દસ્તાવેજોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ હોય તો એ છે આધાર કાર્ડ.


ભારતના લગભગ 90 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે. શાળામાં એડમિશન લેવાથી માંડીને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધીની દરેક વસ્તુ માટે તેની જરૂર પડે છે. ઘણી વખત આધાર કાર્ડમાં કેટલીક માહિતી બદલવી પડે છે. જેના માટે UIDAI  તેમાં ફેરફાર કરવાની સુવિધા આપે છે.


આધાર કાર્ડમાં આવી ઘણી બાબતો છે. જેમાં વધારે ફેરફાર કરી શકતા નથી. ભાડા પર રહેતા લોકો વારંવાર ઘર બદલી નાખે છે. ત્યારે લોકોના મનમાં એક સવાલ આવે છે કે આધાર કાર્ડમાં સરનામું કેટલી વાર બદલી શકાય છે? શું આ માટે કોઈ મર્યાદા છે? તો જાણો કે UIDAI એ આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. ઇચ્છો તેટલી વખત સરનામું બદલી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application