બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ ચક્રવાતી તોફાન દાના પુરી અને સાગર દ્વીપ વચ્ચે 24મી ઓક્ટોબરની સાંજથી 25મી ઓક્ટોબરની સવાર સુધી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં રચાયેલ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે તે 23 ઓક્ટોબર, 2024 સુધીમાં ચક્રવાતી તોફાનમાં રૂપાંતર કરી શકે છે. આ કુદરતી આફત 24 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની શક્યતા છે કારણ કે તે બંગાળની ખાડીના ઉત્તરીય ભાગ પર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે રહ્યું છે.
હવામાન વિભાગે ચક્રવાત દાના વિશે જાહેર કરી ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) સતત ચક્રવાત દાનાની ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેના શરૂઆતના અનુમાનિત માર્ગને જોતા, વાવાઝોડું ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે, ખાસ કરીને પુરી અને સાગર દ્વીપ વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. 24મી ઓક્ટોબરની રાત્રિ અને 25મી ઓક્ટોબરની સવાર દરમિયાન લેન્ડ ફોલની શક્યતા છે. લેન્ડ ફોલ સમયે વાવાઝોડાની તીવ્રતાના કારણે પવનની ઝડપ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, પવન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
આ રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત થશે
હવામાન વિભાગની માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં 24 અને 25 ઓક્ટોબરે પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ પરગણા અને ઝારગ્રામ જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 24 અને 25 ઓક્ટોબરે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર પરગણા, પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કેન્દ્રપારા, કટક, નયાગઢ, કંધમાલ અને ગજપતિ જિલ્લાના સ્થળોએ વાવાઝોડા અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદ (7 થી 20 સે.મી.) ની ગ્રીન સિગ્નલ (કાર્યવાહી કરવા માટે તૈયાર રહો) જારી કરી છે. આ ઉપરાંત, ભદ્રક, બાલાસોર, જાજપુર, અંગુલ, ઢેંકનાલ, બૌધ, કાલાહાંડી, રાયગડા, કોરાપુટ, મલકાનગીરી, મયુરભંજ અને કેઓંજરમાં છૂટાછવાયા સ્થળો માટે ભારે વરસાદ (7 થી 11 સે.મી.) અને વીજળી સાથે વાવાઝોડાની યેલો સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech