બિહારમાં લગ્ન દરમિયાન ફટાકડાના કારણે ઘરમાં લાગી આગ: 6ના મોત

  • April 26, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના દરભંગામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક લગ્ન દરમિયાન દરમિયાન ફટાકડાના કારણે ઘરમાં આગ લાગી હતી. જેના કારણે એક જ પરિવારના છ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના દરભંગા જિલ્લાના અલીનગર બ્લોકના અંતોર ગામમાં બની હતી. અહી ગામમાં લગ્ન પ્રસંગ ચાલતો હતો. આ દરમિયાન લોકો લગ્નમાં ફટાકડા ફોડી રહ્યા હતા. દરમિયાન કોઈક રીતે ફટાકડાના તણખાને કારણે ઘરમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ એટલી બધી ફેલાઈ ગઈ કે તેને ઓલવવી મુશ્કેલ બની ગઈ. આગ ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચી અને થોડી વાર પછી સિલિન્ડર ફાટ્યો.
આ પછી દરવાજા પર રાખવામાં આવેલા ડીઝલના ડ્રમમાં પણ આગ લાગી હતી, જેના કારણે મામલો વધુ ભયાનક બન્યો હતો. થોડી જ વારમાં આખા ઘરમાં આગની જ્વાળાઓ ઉભરાવા લાગી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. આખા ઘરનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.

આ દરમિયાન આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.આ ઘટનામાં એક જ પરિવારના છ લોકો આગની લપેટમાં આવી ગયા હતા, જેના કારણે તેઓના મોત થયા હતા.
આ મામલાને લઈને ડીએમ રાજીવ રોશને કહ્યું કે ટીમ ઘટનાની તપાસ માટે રવાના થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application