રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા બાઈકચાલક સોખડામાં રહેતા કોળી યુવાનનું મોત યું હતું. યુવાન વાંકાનેર પંકમાં આવેલા પોતાના ગામે આટો મારવા ગયો હતો. ત્યાંી પરત ફરતા સમયે તેને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક પ્રભુ ફાર્મ રિસોર્ટ પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક શૈલેષ માધાભાઈ સતવાણી (ઉ.વ ૩૧) નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જેી તેને ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત યું હતું. બનાવને લઈ એરપોર્ટ પોલીસ મકના પી.એસ.આઇ એ.કે.ગોસ્વામીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળેલી હકીકત મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર શૈલેષ સોખડા ગામે રહેતો હતો તે ત્રણ બહેન ત્રણ ભાઈના પરિવારમાં વચેટ હતો,યુવાન રાજકોટમાં સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં મજૂરીકામ કરતો હતો બનાવના દિવસે તે વાંકાનેર પંકમાં આવેલા પોતાના મૂળ વતને આટો મારવા ગયો હતો અને રાત્રીના ત્યાંી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech