ચોટીલા નજીક આણંદપર ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ચોટીલાના નાળિયેરી ગામે રહેતા પ્રૌઢનું મોત થયું હતું.પ્રૌઢ કામ પરથી ઘરે આવતા હતા દરમિયાન અજાણ્યા વાહને તેમને ઠોકરે લેતા ગંભીર ઈજા થવા સબબ તેમનું મોત થયું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા અને તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે રહેતા અરજણભાઈ મોહનભાઈ ઝાપડિયા (ઉ.વ ૫૫) નામના પ્રૌઢ ગઈકાલ બપોરના બારેક વાગ્યા આસપાસ ચોટીલા આણંદપર ચોકડી પાસેથી બાઈક લઇ પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહને તેમના બાઇકને લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને પ્રથમ ચોટીલા બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન સમી સાંજના તેમણે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અરજણભાઈ બે ભાઈ બે બહેનના પરિવારમાં નાના હતા અને મજૂરીકામ કરતા હતા તેમને સંતાનમાં ચાર પુત્રી અને સાત પુત્ર છે. ગઈકાલે તેઓ મજૂરીકામ માટે ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવા અને તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech