હે રામ...! ગાંધી ભૂમિમાં ગાંધી પ્રતિમા છેલ્લા ૨૦ દિવસથી અંધારામાં!

  • September 21, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર નજીક જ ગાંધીજીની પ્રતિમા છેલ્લા વીસ દિવસથી અંધારામાં છે. સ્ટ્રીટલાઇટો બંધ છે તે અંગે અનેક ફરિયાદ કરવા છતાં પાલિકાનું ઇલેકટ્રીક વિભાગ જાગતુ નહી હોવાથી ભાજપના પૂર્વ સુધરાઇસભ્ય એવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આક્રોશપૂર્ણ રજુઆત થઇ છે.
પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચાએ જણાવ્યુ છે કે પોરબંદર આ શહેરમાં ૪૦ ટકા લાઇટો  બંધ છે. પરંતુ જે મહાત્મા ગાંધીએ હિન્દુસ્તાનને આઝાદી અપાવી તેનું સ્ટેચ્યુ માણેકચોકમાં આવેલ તેની બાજુમાં આવેલ તાંકની ચારેબાજુ અને રેકોર્ડ ઓફીસ ઉપર રવેશમાં હેલોઝન  લાઇટ નાખેલ છે તે છેલ્લા ૨૦ દિવસથી બંધ છે. તેની અનેક ફરીયાદ કરેલ છે. પરંતુ કોઇ કામ થતું નથી. આ ચોકમાં રાત્રીના સમયે આજુબાજુના સ્થાનિકો બેસતા હોય તેમણે રજૂઆત કરી હોવા છતા તંત્રએ કાર્યવાહી કરી નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું માણેકચોકમાં સ્ટેચ્યુ આવેલ છે ત્યાં છેલ્લા ૨૦ દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ છે. કોઇ પૂછવાવાળુ નથી કે નગરપાલિકામાંથી કોઇ જોવાવાળુ નથી. ચીફ ઓફિસરને ઇલેકટ્રીક સ્ટાફના માણસો જવાબ આપતા નથી. આ બાબતની છેલ્લા ૨૦ દિવસથી ફરિયાદ કરેલ છે પરંતુ કોઇ કામ થતુ નથી.તેમ જણાવીને અશોકભાઇ ભાદ્રેચાએ ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યકત કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application