અહી સ્ત્રી સ્વરૂપમાં ગણપતિ બાપ્પાની થાય છે પૂજા,  જાણો વિનાયકી અવતારની કથા

  • September 10, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયપુરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રસ્તાઓને ચારેબાજુ ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં છે. રાજધાની રાયપુરના અલગ-અલગ ભાગોમાં ભગવાન ગણેશની ટેબ્લો લગાવવામાં આવી છે, ક્યાંક રામના અવતારની તો ક્યાંક કૃષ્ણના અવતારની. આ શ્રેણીમાં આ વર્ષે રાજધાનીના તાત્યાપરા ચોકમાં ગણેશજીના વિનાયકી અવતારની રજૂઆત કરવામાં આવી છે.


ભગવાન ગણેશની સ્ત્રી સ્વરૂપમાં પ્રતિમાઃ

 ભારતીય સમાજ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તાત્યાપરા ચોકમાં ભગવાન ગણેશના વિનાયકી અવતારની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ અવતાર એટલા માટે ખાસ છે કારણ કે તેમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્ત્રી સ્વરૂપમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમા કિલ્લામાં 2 લાખ 51 હજાર રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. સમિતિએ સંપૂર્ણ સેટઅપ તૈયાર કરવા માટે રૂ. 15 લાખનું બજેટ ફાળવ્યું છે. છત્તીસગઢના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભગવાન ગણેશની મૂર્તિ સ્ત્રી સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી હોય.


ભગવાન ગણેશના દર્શન કરવા માટે ભીડ ઉમટી:

ભગવાન ગણેશની સ્ત્રી સ્વરૂપમાં સ્થાપિત મૂર્તિને જોવા માટે લોકોની ભીડ જામી છે. લોકો પ્રતિમાની સામે સેલ્ફી લેવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. આ સમિતિ છેલ્લા 37 વર્ષથી ભગવાન ગણેશના પંડાલોને અલગ-અલગ અને તદ્દન અનોખી રીતે શણગારે છે. ખાસ વાત એ છે કે સમિતિ સ્થાનિક કે અન્ય કોઈ જગ્યાએથી દાન એકત્રિત કરીને પંડાલને શણગારતી નથી. પરંતુ તેમના પૂર્વજોની જેમ, સમિતિના સભ્યો પોતે પંડાલ અને ભગવાન ગણેશની મૂર્તિ માટે પૈસા દાન કરે છે.


શું છે વિનાયકી અવતારની કથાઃ

ભગવાન ગણેશના સ્ત્રી અવતારને ગણેશની, વિનાયકી, ગજમુખી અને ગનેશ્વરી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. દંતકથા અનુસાર એક વખત અંધક નામનો રાક્ષસ માતા પાર્વતીને તેની પત્ની બનાવવા માંગતો હતો. શિવજીએ તેને મારી નાખ્યો હતો. પરંતુ રાક્ષસનું લોહી પૃથ્વી પર પડતાં જ નવા રાક્ષસોનો જન્મ થતો હતો. આ રીતે અંધક રાક્ષકોની સંખ્યા વધતી જતી હતી. તમામ દેવતાઓએ માતા પાર્વતીને શક્તિના રૂપમાં અવતાર લેવાની પ્રાર્થના કરી. આ પછી શિવજીએ શિવાનીનું રૂપ ધારણ કર્યું, બ્રહ્માજીએ બ્રાહ્મીનું રૂપ ધારણ કર્યું અને વીરભદ્રએ દેવી ભદ્રકાળીનું રૂપ ધારણ કરીને અંધક સાથે યુદ્ધ કર્યું હતું. તમામ દેવતાઓના સ્ત્રી સ્વરૂપો પણ અંધકને હરાવવામાં નિષ્ફળ ગયા હતાં. આ પછી ભગવાન ગણેશે વિનાયકી અવતાર લીધો અને અંધકના શરીરને બાંધી દીધું અને તેની સૂંઢ વડે  અંધકનું બધુ લોહી ચૂસી લીધું હતું.


વિનાયકી અવતારની પૂજા ક્યાં થાય છેઃ

ભારતના વિવિધ રાજ્યોમાં વિનાયકીની પૂજા કરવામાં આવે છે. તમિલનાડુના કન્યાકુમારીમાં તનુમલયન નામનું 1300 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં ભગવાન ગણેશની વિનાયકી મૂર્તિ બિરાજમાન છે. તિબેટમાં ભગવાન ગણેશને ગણેશની દેવીના નામથી સ્ત્રી સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ઓરિસ્સાના હીરાપુરમાં પણ વિનાયકી દેવીની પૂજા થાય છે. રાજસ્થાનના રાયરાહમાં પાંચમી સદી પહેલાથી વિનાયકી દેવીની પ્રતિમા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application