ઉત્તર ભારતથી પૂર્વેાત્તર સુધી ૧૪ રાયોમાં ભારે વરસાદ: ૩૬ કલાકમાં ૪૭ લોકોનાં મોત

  • September 13, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ હિમાલયના રાયોથી લઈને ઉત્તર–પૂર્વ ભારત સુધીના લગભગ તમામ રાયોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થાન, મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારતમાં ઓડિશા અને ઝારખડં સહીત ૧૪ રાયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદે ૩૬ કલાકમાં ૪૭ લોકોના જીવ લીધા. જેમાં ઉત્તર પ્રદેશમાં ૩૨, મધ્ય પ્રદેશમાં ૧૧ અને રાજસ્થાનમાં ચાર મોતનો સમાવેશ થાય છે. મોટા ભાગના મોત દિવાલો અને મકાનો પડવાથી થયા છે. આ અકસ્માતમાં ૩૮ લોકો ઘાયલ પણ થયા છે. જયારે ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ ખરાબ છે. કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે અને આજે રાયની તમામ શાળાઓ બધં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખડં સહિત ૧૪ રાયોમાં વધુ ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

ભારતીય હવામાન વિભાગએ આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર અને પૂર્વેાત્તર રાયોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ રાયોમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડનો સમાવેશ થાય છે. આઈએમડીએ કહ્યું કે મધ્ય ભારતમાં બનેલા ઐંડા લો પ્રેશર વિસ્તારને કારણે યુપી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થશે. જેના કારણે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ અચાનક પૂરનો ભય છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી બાદ પ્રશાસને તમામ જિલ્લામાં ધોરણ ૧૨ સુધીની શાળાઓ બધં રાખવાનો આદેશ જારી કર્યેા છે. દ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગઈકાલે કેદારનાથ પદયાત્રાનો માર્ગ બધં કરવો પડો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામથી કોઈને નીચે ઉતારવામાં આવ્યા નથી. યાત્રા બધં થવાને કારણે લગભગ ૨,૫૦૦ મુસાફરો સોનપ્રયાગમાં ફસાયેલા છે. રાયમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૧૬૮ રસ્તાઓ બધં છે. આમાં રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા, રાય માર્ગેા, સરહદી માર્ગેા અને ગ્રામીણ મોટર માર્ગેાનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશ માટે ખાસ કરીને ત્રણ જિલ્લા શિમલા, કિન્નૌર અને સિરમૌર માટે ખૂબ જ ભારે દિવસ રહેશે. સ્થાનિક હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અચાનક પૂરની સંભાવના વ્યકત કરી છે અને વહીવટી કર્મચારીઓ તેમજ લોકોને સાવચેતી આપી છે. રાયમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૩૭ રસ્તાઓ બધં છે અને ૧૦૬ વીજ પુરવઠા યોજનાઓ પણ અટકી પડી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application