સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવેલા કપાસ,મગફળી,સોયાબીન સહિતના પાકો ભાદરવા માસમાં પાછોતરા વરસાદને લઈને પાકો સડી તેમજ નિષ્ફળ જવા પામ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં તો ભાદરવા માસના પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ,લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી,પરંતુ છેલ્લ ા ઘણા દિવસોથી વરાપ નીકળતા ખેડૂતોને બગડેલા ફરીથી સારા થવાની આશા બંધાણી હતી, જેમને લઈને ખેડૂતોએ પાક ઉપર આવેલ સોયાબીન, મગફળીના પાકને લણવાની શરૂઆત કરી હતી અને સોયાબીન તેમજ મગફળીના પાકના પાથરા પોતાના ખેતરમાં કયર્િ હતા ત્યારે દશેરાની રાતે વીરપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો જેમને લઈને ખેડૂતોએ પાક ઊપર આવેલ સોયાબીન, મગફળીના પાકને લણવાની શરૂઆતમાં જ સોયાબીન અને મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં પલળી ગયા હતા અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા હતા જેમને લઈને સોયાબીન તેમજ મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની દહેશત સર્જાઈ છે,જ્યારે કપાસના પાકમાં ફાલ બેસી ગયેલ હતો પરંતુ વરસાદને કારણે કપાસ ઢળી જવાથી ફાલ પણ ખરી જવા પામ્યો છે ત્યારે વીરપુર પંથકના ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસ થી વરાપ નીકળતા સોયાબીનનો પાક લણવા માટે પોતાના ખેતરોમાં પાથરા કયર્િ હતા પરંતુ દશેરાએ રાતે પાછોતરા ભારે વરસાદને લઈને સોયાબીન તેમજ મગફળીના પાથરાઓ પલળી ગયા હતા જેમને કારણે સોયાબીન અને મગફળીનો સંપૂર્ણ પાક સડી જઈ નિષ્ફળ જાય તેમ છે મગફળી અને સોયાબીન વરસાદિ પાણીમાં પલળતા પશુઓ માટે નિરણ કે ચારો પણ મેળવી શકાય તેમ નથી અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાયો છે તેમજ પશુઓ માટેનો ચારો પણ હાથમાં ન આવતા ખેડૂતોને ડબલ મર વેઠવાનો વારો આવ્યો છે, વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોના વરસાદમાં પલળીને નિષ્ફળ ગયેલા પાકોનું સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech