નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત સમાજના ગરીબ વર્ગના લોકોને એનએફએસએ કાર્ડ માં તુવેર દાળ નો જથ્થો આપવામાં આવતો હોય છે. રેશનકાર્ડની સંખ્યા અને જરૂરિયાત કરતા 50% ઓછો જથ્થો સરકારે આ વખતે ફાળવતા દુકાનદારોમાં ભારે બેકારો બોલી ગયો છે.
સસ્તા અનાજના વેપારીઓના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતોવખત ખાંડ નમક તેલ દાળ ચણા જેવી જણસીઓનુ વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી 2025 ના માસ માટે 50% એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે. 50% તુવેરદાળની ફાળવણી એટલે ગુજરાત રાજ્યના અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશનકાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહેશે અને અડધા ગ્રાહકો તુવેરદાળ મેળવશે. એક પ્રકારે વિષમ પરિસ્થિતિનુ નિમર્ણિ થશે. તુવેરદાળ મેળવનારા કાર્ડ હોલ્ડર્સ અને તુવેરદાળ નહીં મેળવનાર કાર્ડ હોલ્ડર્સ વચ્ચે એક પ્રકારે અસમંજસની સ્થીતી સર્જાશે. બિલકુલ ન્યાયસંગત ન કહી શકાય એવી આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરે છે આનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ?આની પાછળ શુ તર્ક હોઈ શકે ?એની સ્પષ્ટતા સરકારે કરવી જોઇએ. એક સરખી કેટેગરી ધરાવતા કાર્ડ ધારકો વચ્ચે એક પ્રકારે ભેદભાવ જેવી પરિસ્થિતિનુ નિમર્ણિ થતા રાશન વિક્રેતાઓ પણ શંકાના ઘેરાવમા આવે છે. પરીણામે રાશન વિક્રેતાઓ અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ગજગ્રાહ વધે છે. ખોટા આક્ષેપો થાય છે અને વ્હાલા દવલાની નીતિના આક્ષેપો થાય છે. સરકાર શા માટે કાર્ડ ધારકોમાં આવો ભેદભાવ કરી રહી છે ?અથવા તો સરકારની એવી તો શું મંછા રહેલી છે કે આ પ્રકારે વિઘટનકારી નીતિ અપ્નાવે છે?કોઈ માસ દરમિયાન તુવેરદાળની ફાળવણી જ ન કરવી કોઈ માસ દરમિયાન તુવેરદાળની 50 ટકા ફાળવણી કરવી અને ઘણી વખત ફાળવણી કયર્િ બાદ વેપારી દ્વારા નાણા ભરી આપવામાં આવ્યા હોય છતાં પણ દુકાન સુધી દાળ ન પહોંચવી, ફાળવણી કરી હોવી છતાં પણ ગોડાઉન ખાતે પણ જથ્થો ન પહોંચે આવી બધી વિષમતાઓને સરકાર શા માટે નિવારી શકતી નથી? શુ એમની પાસે નિતી નથી કે બજેટ નથી? કે પછી યોગ્ય કૌશલ્ય ધરાવતો સ્ટાફ નથી ?કે સુવ્યવસ્થિત માળખુ નથી? કે પછી કરોડો રુપીયાનુ આંધણ થાય છે છતા યોગ્ય સંચાલનના અભાવે આવી વિષમતાઓ પેદા થાય છે? સૌથી મોટુ પરીબળ ઇચ્છાશક્તિનુ હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યના વન વિભાગમાં મોટા ફેરફારો: અનેક IFS અધિકારીઓની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
February 06, 2025 10:53 PMદિલ્હીમાં સોનાનો ભાવ 86 હજાર રૂપિયાને પાર, પહેલી વાર બન્યો આ રેકોર્ડ
February 06, 2025 10:15 PMભારતે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, શુભમન ગીલે બનાવ્યા 87 રન
February 06, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech