સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી 8 એપ્રીલ સુધી અને ગુજરાતના અન્ય ભાગોમાં તારીખ 6 થી 8 સુધી ગરમીનું મોજું ફરી વળશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની સૌથી વધુ અસર પોરબંદર જિલ્લાને થશે અને તે માટે હિટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય ભાગોમાં પણ ગરમીનું જોર વધશે.
ગઈકાલે રાજકોટમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન નોંધાયું
સૌરાષ્ટ્રમાં અત્યારે મહત્તમ તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી આસપાસ છે. આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે અને તેના કારણે અનેક જગ્યાએ મહત્તમ તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રી આસપાસ પહોંચી જશે. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે અને ઉનાળાની સિઝનમાં અત્યારના સમયના ગાળામાં હોવું જોઈએ તેના કરતાં ચાર ડિગ્રી વધુ છે.
નલિયામાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નીચે હતું
નલિયામાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નીચે હતું. પરંતુ આમ છતાં તે રૂટીન કરતાં 4.6 ડિગ્રી વધુ હતું. નલિયાનું ગઈકાલનું મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ હિટવેવ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 દિવસથી ગરમી અને ભેજવાળું વાતાવરણ હોવાથી અકળામણ વધી જાય છે. આવું વાતાવરણ દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ આગામી તારીખ 9 સુધી યથાવત રહેશે તેવું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં ગરમીનું જોર વધુ રહેશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અને તારીખ 6 થી 8 ગુજરાતમાં ગરમીનું જોર વધશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, જુનાગઢ અને કચ્છ જિલ્લો વધુ પ્રભાવિત રહેશે. ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને પાટણમાં ગરમીનું જોર વધુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લાના ૬૬ લોકોના નેત્રમણીના ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા
May 15, 2025 02:27 PMલોહાણા સમાજના વિદ્યાર્થીઓને અપાયું કારકિર્દીલક્ષી માર્ગદર્શન
May 15, 2025 02:24 PMવેકેશન કરવા વતનમાં ગયેલી 11 વર્ષની તરુણીનું વીજશોકથી મોત
May 15, 2025 02:23 PMજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech