દિવાળી ઉપર ઠંડી પડવી જોઇએ તેના બદલે બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડીના માહોલથી બિમારી વધી
દિવાળીને હવે 4 દિવસની વાર છે ત્યારે હજુ પણ ગરમી કેડો મુકતી નથી, સવારે અને સાંજે ઠંડો પવન અને બપોરે અસહ્ય ગરમીનો અનુભવ લોકોને થાય છે, જેનાથી રોગચાળો પણ વઘ્યો છે, ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેશનના કેસોમાં પણ સારો એવો વધારો થયો છે ત્યારે મહત્તમ તાપમાન 36.5 ડીગ્રીએ પહોંચી ગયું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 36.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 25 ડીગ્રી, હવામાં ભેજ 84 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કમોસમી વરસાદને કારણે ખેડુતો ફરીથી નુકશાનીનો ભોગ બન્યા છે, મગફળી અને કપાસમાં નુકશાન થવાથી ખેડુતો જે લોન લઇને બિયારણ ખરીદયું હતું તેમાં ત્રણ-ત્રણ વખત માવઠુ થતાં નુકશાનીનો આંક વધી ગયો છે તેની સામે એક ફાયદો એ છે કે, તળ સાચા થઇ ગયા છે અને 15 થી 20 ફુટે પાણી હોવાથી આ વખતે શિયાળુ પીયતમાં વાંધો નહીં આવે.
આગામી દિવસોમાં પણ એકાદ અઠવાડીયું મીશ્ર વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી જોવા મળી છે. જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએસટી બસ મુસાફરીમાં ભાડામાં ૧૦ ટકાનો વધારો
March 29, 2025 12:30 PMરાજકોટ : નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવા આવશ્યક
March 29, 2025 12:18 PMજુઓ રતનપરની ઝૂરીઓમાં ફરી લાગેલી આગને ફાયર બ્રિગેડે કઈ રીતે બુઝાવી
March 29, 2025 11:54 AMકોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું: કોઠારીસ્વામી
March 29, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech