આવતા અઠવાડીયાથી ઠંડી શ થવાની શકયતા: શિયાળુ પાકને અસર
કારતક મહીનો શ થઇ ચૂકયો છે, પરંતુ હજુ પણ સુર્યદેવતા કોપાયમાન છે, લોકો કહે છે કે, શિયાળો હજુ ગુમ છે, આ વખતે એક મહીનો શિયાળો મોડો થવાની ધારણા છે ત્યારે જામનગરનું તાપમાન હજુ પણ 35 ડીગ્રી આસપાસ રહ્યા કરે છે, બપોરના ભાગમાં ગરમી અને સવાર-સાંજ આછેરી ઠંડી અને પવન જોવા મળે છે ત્યારે આ વખતે શિયાળુ પાકને પણ થોડી અસર થાય તેવું ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે ત્યારે જામનગરનું તાપમાન હજુ પણ 35 ડીગ્રીએ પહોંચ્યું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 21 ડીગ્રી, હવામાં ભેજ 90 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
એક તરફ ખેડુતોને ત્રણ-ત્રણ માવઠા અસર કરી ગયા, મગફળીના પાથરા તૈયાર હતાં ત્યાં જ માવઠુ ત્રાટકયું, એકની સહાય મળે તે પહેલા જ બીજુ માવઠુ થયું, આમ ખેડુતો ઉપર તો પડયા પર પાટા જેવો ડામ લાગ્યો છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 150 ટકા વરસાદ થઇ ગયો છે, તેની સામે માવઠા થવાને કારણે મગફળી અને કપાસના પાકને સા એવું નુકશાન થયું છે, જે નુકશાન થયું છે તેના 10 થી 13 ટકા જ સહાય ખેડુતોને મળી છે અને હજુ કેટલાક ખેડુતો સહાયથી વંચીત છે ત્યારે એક મહીનો શિયાળો મોડો શ થશે તેની અસર પણ શિયાળુ પાકને થશે તેવું ખેતીવાડી તજજ્ઞોનું કહેવું છે. બે દિવસથી વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો છે અને ઠંડીની અસર શ થઇ છે, ત્યારે હવે ઝડપથી સતાવાર રીતે શિયાળો શ થાય તેવું ખેડુતો પણ ઇચ્છી રહ્યા છે.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ સપડા ગણપતિજી મંદિર પાસે પુર સંરક્ષણ દિવાલના કામનું ખાતમુહુર્ત કર્યું
April 29, 2025 05:26 PMરાજકોટ : ટ્રકમાં સંતાડેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમ પોલીસ પકડમાં
April 29, 2025 04:54 PMરાજકોટ : સહકાર મેઇન રોડબોર આવેલા નારણનગર પાસે સબસ્ટેશનમાં ભભૂકી આગ
April 29, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech