રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ પર સુનાવણી, હાઈકોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

  • September 26, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતાના વિવાદ પર નાગરિકતા અધિનિયમ-1955 હેઠળ નોંધાયેલી ફરિયાદ પર કેન્દ્ર સરકાર પાસેથી કાર્યવાહીની વિગતો માંગી છે. કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે.


આ આદેશ જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની ખંડપીઠે કર્ણાટક ભાજપના કાર્યકર એસ. વિગ્નેશ શિશિરની પિટિશન પર પાસ થઈ હતી. જુલાઈ મહિનામાં કોર્ટે એ જ અરજદારની અરજીને ફગાવી દીધી હતી કે જો તે ઈચ્છે તો નાગરિકતા કાયદા હેઠળ સક્ષમ અધિકારીને ફરિયાદ કરી શકે છે.


રાહુલ ગાંધીને ગણાવ્યા બ્રિટિશ નાગરિક


અરજદાર વતી દલીલ કરવામાં આવી હતી કે, તેમની પાસે બ્રિટિશ સરકારના ઘણા દસ્તાવેજો અને કેટલાક ઈ-મેલ છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. આ કારણોસર તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે અને લોકસભાના સભ્યનું પદ સંભાળી શકતા નથી.


CBIમાં કેસ નોંધવાની માંગ


અરજીમાં રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા ધારણ કરવી એ ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો છે અને કેસ નોંધવા અને સીબીઆઈને તપાસ કરવાનો આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે, તેણે બેવડી નાગરિકતા અંગે સક્ષમ અધિકારીને બે વખત ફરિયાદો મોકલી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાયા હોવાથી હાલની અરજી દાખલ કરવામાં આવી રહી છે.


બેન્ચે કહ્યું કે, કેન્દ્ર સરકારના ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી. પાંડે એ હકીકત જણાવે કે શું અરજદારની ફરિયાદો સક્ષમ અધિકારીને મળી છે અને જો હા, તો ફરિયાદો પર શું કાર્યવાહી કરવામાં આવી રહી છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application