ખંભાળિયાના બારાડી બેરાજા ગામે શુક્રવારે મોદી - માવાણી પરિવારનો હવન

  • May 09, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રઘુવંશી જ્ઞાતિના મોદી માવાણી પરિવારના હવન તેમજ કુળદેવી શ્રી હરસિધ્ધિ માતાજીના મેળા અને સમૂહ નિવેદનું આયોજન આગામી શુક્રવાર તારીખ 10 મી ના રોજ ખંભાળિયા તાલુકાના બેરાજા (બારાડી) ગામે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શુક્રવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે 1 વાગ્યે હવનનું બીડું હોમાયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન બેરાજા ગામના જલારામ મંદિર ખાતે કરાયું છે. જેમાં સર્વે મોદી માવાણી પરિવારજનોને ઉપસ્થિત રહેવા આયોજકો વતી દિપકભાઈ મોદી તથા યોગેશભાઈ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application