વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે રાહતના સમાચાર છે. વડોદરા કલેક્ટરે આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકોના પરિવારને દરેકને 31,75,700 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે મૃતક શિક્ષિકાઓ ફાલ્ગુની પટેલના પરિવારને 16,68,029 રૂપિયા અને છાયાબેન સુરતીના પરિવારને 11,21,900 રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
લાંબી રાહત બાદ આખરે ન્યાય:
હરણી બોટ દુર્ઘટના એક વર્ષ પહેલાં બની હતી અને આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પીડિત પરિવારો વળતર માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. આખરે તેમની લાંબી રાહતનો અંત આવ્યો છે અને સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech