જૂનાગઢમાં ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત અને જુના અખાડા ના સંરક્ષક વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે આ વર્ષે કુંભમેળામાં પ્રયાગરાજ થી જુના અખાડા પરિષદે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશ ગીરી, મહાદેવ ગીરી, કનૈયા ગીરી અને અમૃતગીરીની હકાલ પટ્ટી કયર્નિી વાત ચચર્નિા ચકડોળમાંહતી સમગ્ર મામલે ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરીબાપુ એ ગઈકાલે રાણપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગત શિવરાત્રી મેળામાં મુજરા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરી વીડિયો પણ જાહેર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે હરિ ગીરી અને તેની ગેંગે જુનાગઢ અને શિવરાત્રી મેળાને અપવિત્ર કર્યો છે. સંતો મહંતો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે તે જણાવવી પણ જણાવ્યું હતું કે મહેશગીરી સામે તપાસ કમિટી બેસાડવામાં આવી તે તપાસ કમિટી કેક પાર્ટી કરી રહ્યા છે સનાતન સાધુઓને આ શોભે તેમ જણાવી ભવનાથ અ પવિત્ર કરવામાં આવી રહ્યું છે જેથી સરકાર આ મામલે નોંધનીય કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી હતી.
ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરીબાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિ ગીરીબાપુ વચ્ચે વિવાદ સમવાનો નામ જ લેતો નથી. અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ મહેશ ગીરીબાપુ અને હરી ગીરીબાપુ વચ્ચે સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ હરિ ગીરીબાપુ સામે આક્ષેપક કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન હરી ગીરીના ચેલાઓ દ્વારા મુજરા કરાવ્યા હતા મેળાને અ પવિત્ર કરવાનું કામ કર્યું છે આ ઉપરાંત મહેશ ગીરી બાપુ ના જણાવ્યા મુજબ તેઓની સામે થયેલા આક્ષેપ અંગે તપાસ કમિટી બેસાડવામાં આવી હતી આ તપાસ કમિટીમાં જેના નામ બતાવ્યા છે તે બધા કેક પાર્ટી કરી રહ્યા છે. સનાતનની સાધુને શું આ શોભે તેમ જણાવી સંતો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે જેથી શિવરાત્રી મેળાને અપવિત્ર કરવાનું કામ હરીગીરી બાપુ અને તેના ચેલાએ કર્યું છે. આવું કરતી વખતે શરમ આવવી જોઈએ તેમ જણાવી સરકારને આગામી દિવસોમાં હરીગીરી અને તેના ગેંગની સમગ્ર વિગત આપીશ અને ખુલ્લા પાડીશ તેમ પણ જણાવ્યું હતું. મારે ફક્ત ગિરનાર જોઈએ છે હું બધું છોડી દઈશ તેમ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.
જૂના અખાડા પરિષદે પદભ્રષ્ટ કયર્નિી વાત પાયા વિહોણી
મહેશ ગીરીબાપુ એ જણાવ્યું હતું કે હરિ ગીરીબાપુ એવું કહી રહ્યા છે કે જુના અખાડા પરિષદે પદ ભ્રષ્ટ કયર્નિી વાત પાયા વિહોણી મને બરખાસ્ત કરી દીધા છે જુનાગઢના સાધુઓએ પોતાનું લોહી રેડીને જુનો અખાડો બનાવ્યો છે મહાદેવ ગીરીની જે દરખાસ્તની વાત કરવામાં આવી છે ત્યારે મહાદેવ ગીરીએ તેને આપેલા રૂપિયાની રસીદ અને પહોંચશે અને ઈંટો અને પથ્થર પણ લગાવ્યા હતા અને 55 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. કુંભ મેળામાં પ્રયાગરાજ થી જુના અખાડા પરિષદે પદભ્રષ્ટ કયર્િ છે તે વાત પણ પાયાવિહોણી હોવાનું જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech