પ્રેમલગ્ન કરનાર પરિણીતાને દારૂડીયા પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

  • February 05, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ વીંછિયાના પીપરડી ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ મોરબીમાં રહેતા પતિ અને સુરેન્દ્રનગરના લીંબાળા ગામે રહેતા સાસુ-સસરા અને જેઠ સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હાલમાં પીપરડી ગામે માવતરના ઘરે રહેતી હિરલબેન(ઉ.વ ૨૪) દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મોરબીના લખધીરપુરમાં રહેતા પતિ નિલેશ નાજાભાઇ પંચાલ અને સુરેન્દ્રનગર જિલ્લાના સયાલા તાલુકાના લીંબાળા ગામે રહેતા સાસુ કમુબેન,સસરા નાજાભાઇ,જેઠ સંજય અને ગીરીશના નામ આપ્યા છે.
​​​​​​​
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ વર્ષ પૂર્વે તેણે નિલેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં.લગ્નજીવન થકી સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર રોહિત છે જે હાલ પતિ પાસે છે.લગ્નબાદ પરિણીતા સાસરીયાના ઘરે રહેવા ગઇ હતી.ત્યારબાદ પતિને મોરબીમાં ધંધો હોય જેથી પતિ-પત્ની અને જેઠ સંજય અહી મોરબી રહેવા આવી ગયા હતાં.અહીં એક મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિને દારૂ પીવાની કુટેવ હોય જેથી તે દારૂ પી ઘરે આવી ઝઘડા કરતો હતો તેમજ શંકા કુશંકા કરી કહેતો આપણે તારા માવતરવાળા સાથે કોઇ સમાધાન કરવું નથી.પરિણીતા તેના માતાપિતાનું નામ પણ લે તો પતિ મારવા લાગતો હતો.જયારે અન્ય સાસરીયા પણ પરિણીતા વિરૂધ્ધ પતિની ચડામણી કરતા હતાં.જેઠ સંજય અને ગીરીશ કહેતા તારી પત્નીને એકલી બહાર જવા દેવી નહીં,તેને કયાં કોઇ છે.
ગત તા.૧૨/૧/૨૦૨૪ ના રાત્રીના પતિ દારૂ પી ઘરે આવતા જેથી પરિણીતાએ કહ્યૂં હતું કે ,તમે દારૂ શું કામ પીવો છો? આ સાંભળી પતિ ઝઘડો કરી માર મારવા લાગ્યો હતો દરમિયાન જેઠે પણ ગાળો ભાંડી હતી.અને કહેવા લાગ્યા હતાં કે જતી રહે તારૂ અહિં કામ નથી.જેથી બીજા દિવસે પરિણીતા કોઇને કંઇ કહ્યા વગર અહીંથી માવતરના ઘરે જતી રહી હતી.બાદમાં તેણે આ અંગે પતિ સહિતના સાસરીયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application