પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદની સુરક્ષા ચાર ગણી વધારી દેવામાં આવી છે. તાજેતરમાં જ પુષ્ટિ થઈ કે હાફિઝનું પાકિસ્તાનના લાહોરમાં ગુપ્ત સ્થાન છે.ગુપ્તચર એજન્સીએ પુષ્ટિ આપી છે કે હાફિઝ લાહોરના જોહર ટાઉનમાં હાઉસ નંબર 116ઈ માં રહે છે. અહીં ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. હાફિઝના ઠેકાણાની આસપાસ પાકિસ્તાની સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. હાફિઝના ઠેકાણા સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો સંપૂર્ણપણે સીસીટીવીથી સજ્જ છે.
પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને લશ્કરે હાફિઝ સઈદને વધારાની સુરક્ષા કવચ પૂરી પાડી છે. પાકિસ્તાની સેના તેના નજીકના સંબંધીઓ અને ખાસ લોકોને પણ સુરક્ષા પૂરી પાડી રહી છે. પાકિસ્તાની સેનાએ તેમને ક્યાંય ન જવાની કડક સૂચના આપી છે.અગાઉ પુષ્ટિ થઈ હતી કે હાફિઝ લાહોરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં તેના પરિવાર સાથે આરામથી રહે છે. સેટેલાઇટ છબીઓ અને વીડિયો દ્વારા હાફિઝ સઈદનું ઘર લાહોરમાં હોવાની પુષ્ટિ થઈ છે. આ તસવીરોમાં હાફિઝનું ઘર સ્પષ્ટ જોઈ શકાય છે.
હાફિઝની સુરક્ષા ત્રણ સ્તરો પર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેમની અંગત સુરક્ષા પણ 24 કલાક સતર્ક રહે છે. રિપોર્ટ અનુસાર, હાફિઝ સઈદના ગુપ્ત ઠેકાણાના ચિત્રો અને વીડિયો સામે આવ્યા છે. તેમની પાસેથી જાણવા મળ્યું કે હાફિઝ તેના પરિવાર સાથે એક બિલ્ડિંગમાં રહે છે. હાફિઝનો ખાનગી ઉદ્યાન આની સામે જ છે.
ભારત હાફીઝ પર હુમલો કરે તેવી ભીતિ
લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. લશ્કરનું મુખ્ય મથક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેમાં હોવાનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહીમાં તેના પર હુમલો કરી શકે છે.
હાફિઝ અને લશ્કર ભારત માટે સૌથી મોટો ખતરો છે કારણ કે તેઓ કાશ્મીર અને અન્ય ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરે છે. ગયા મહિને હાફિઝ સઈદના નજીકના સાથી અબુ કતલની હત્યા બાદ પાકિસ્તાન સરકારે તેની સુરક્ષા કડક કરી દીધી હતી. આઈએસઆઈએ સઈદની સુરક્ષાની સમીક્ષા કરી હતી અને તેના રહેઠાણને જેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું.22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે. ભારત આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આતંકવાદ વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું છે. દરમિયાન, પાકિસ્તાન હાઇ એલર્ટ મોડ પર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech